________________
વિજય મેળવવાનો માર્ગ ફ્રાંસના વિખ્યાત તત્ત્વચિંતક અને પોતાના સ્વતંત્ર ચિંતનથી ફ્રાંસની ધર્મસત્તા અને રાજ્યસત્તાને ધ્રુજાવનારા વૉલ્તરે (૧૯૯૪-૧૭૭૮) કહ્યું, ‘એક વાર કોઈ રાષ્ટ્ર વિચારવાનું શરૂ કરે, પછી એને કોઈ અટકાવી શકે જ નહીં' અને વૉલ્તરે ફ્રાંસની પરિસ્થિતિ વિશે વિચારવાનું અને લખવાનું શરૂ કર્યું. પ્રભાવશાળી કૅથલિક ચર્ચ અને રાજાશાહીયુક્ત ફ્રેન્ચ શાસન બંને વૉલ્તરનાં લખાણોથી ભયભીત બન્યાં.
એમણે લખેલા ચૌદ હજાર જેટલા પત્રો અને બે હજાર પત્રિકાઓ, નિબંધો, લેખો અને પુસ્તિકાઓને પરિણામે ફ્રાન્સમાં ક્રાંતિનું વાતાવરણ સર્જાયું. વૉલ્તરે ધર્મઝનૂન અને નિરીશ્વરવાદ બંનેનો વિરોધ કર્યો. તેને માટે અથડામણો થઈ અને વૉલ્તરની ઘણી વાર ધરપકડ કરવામાં આવી અને બેસ્ટિલમાં કેદ કરવામાં આવ્યા. ફ્રેન્ચ શાસને એમને દેશનિકાલની સજા ફરમાવી.
ઈ. સ. ૧૭૨૩માં થયેલી દેશનિકાલની સજાને કારણે વૉજોર થોડાં વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા. આ સમયે લંડનમાં ફ્રાંસવિરોધી ભાવના ચરમસીમા પર હતી અને એક વાર રસ્તા પરથી પસાર થતા વૉલ્તરને ઉશ્કેરાયેલા લોકોએ ઘેરી લીધા. લોકો જોરશોરથી બૂમો પાડવા લાગ્યા. આ ફ્રેન્ચવાસીને ફાંસીએ લટકાવો, એના તરફ કશી રહેમ દાખવશો નહીં.' વૉલ્તર પૈર્ય ધારણ કરીને ઊભા રહ્યા અને વિનમ્રતાથી જનમેદનીને કહ્યું, ‘ઇંગ્લેન્ડવાસીઓ, તમે મારી હત્યા એ માટે કરવા માગો છો કે હું ફ્રિાંસનો વતની છું, પરંતુ મારે માટે એ સજા કંઈ ઓછી ગણાય કે હું આ ઇંગ્લેન્ડને બદલે ફ્રાંસમાં જન્મ્યો.'
વૉલ્તરના આ શબ્દોએ જનમેદની પર જાદુભરી અસર કરી. લોકોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા અને સુરક્ષિત રીતે ઘેર પહોંચાડ્યા. એ પછી વૉલેરે.( એક સ્થળે નોંધ્યું. “જ્યારે તમારી હાર નિશ્ચિત હોય, ત્યારે સમર્પણ એ વિજયDS
મંત્ર માનવતાનો મેળવવાનો વધુ સારો રસ્તો છે.”
31