________________
ધ્યેયો સાથે સુમેળ સંગીતની દુનિયામાં યુવાન ગેરશ્ચિન હજી માંડ માંડ પોતાનો પગ સ્થિર કરી રહ્યો હતો. આખું અઠવાડિયું મહેનત કરવા છતાં મ્યુઝિક કમ્પોઝર ગેરશ્ચિન માંડ પાંત્રીસ ડૉલર રળતા હતા. આજીવિકા ચલાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડતો અને અથાગ પ્રયત્ન કરવા છતાં કોઈ વિશેષ ખ્યાતિ મળતી નહોતી. પરિણામે એમણે વિખ્યાત મ્યુઝિક-કમ્પોઝર ઇરવિગ બર્લિનને અરજી કરીને નોકરી માટે વિનંતી કરી. ઇરવિન બર્લિને એમને મળવા બોલાવ્યા. યુવાન ગેરશ્ચિનની શક્તિ, ધગશ અને આવડત જોઈને એને ત્રણ ગણા પગારે નોકરી આપવાની વાત કરી, અને એથીય વિશેષ પોતાના મ્યુઝિકલ સેક્રેટરી તરીકેનો હોદ્દો આપવાનું પણ કહ્યું.
યુવાન ગેરશ્ચિન આનંદમાં આવી ગયા. એમણે તો આવી નોકરીની કલ્પના પણ કરી નહોતી, ઇરવિગ બર્લિને નોકરી સ્વીકારતા પૂર્વે આ અંગે વિશેષ વિચારવા સલાહ આપતાં કહ્યું કે તારા જીવનનાં સ્વપ્નો સાથે અને મનમાં રાખેલાં ધ્યેયો સાથે આ કામગીરીનો મેળ બેસે છે ખરો ? જો મેળ બેસતો ન હોય, તો તું તારા હિતને ખાતર મારા મ્યુઝિકલ સેક્રેટરીની નોકરી સ્વીકારીશ નહીં.
ગેરશ્ચિનને આ વાત અત્યંત વિચિત્ર લાગી. એમણે વિખ્યાત કમ્પોઝર બર્લિનને પૂછવું, ‘તમે શા માટે આવી ત્રણગણા પગારની નોકરીને ફગાવી દેવાનું કહો છો ?”
બર્લિને કહ્યું, “જો તું આ કામગીરી સ્વીકારીશ, તો મારા હાથ નીચેના મદદનીશ તરીકે તું બીજી કક્ષાનો ઇરવિગ બર્લિન બની રહીશ, પરંતુ જો તું ગેરશ્ચિન તરીકે તારી પ્રતિભા જાળવીને પુરુષાર્થ કરતો રહીશ, તો એક દિવસ જરૂર પ્રથમ દરજ્જાનો
ગેરશ્મિન બનીશ, કારણ કે તારામાં અપાર શક્યતાઓ છે અને એ શક્યતાઓને હું જિ09 ) બાંધી દેવા માગતો નથી.’ ગેરશ્ચિને આ વિખ્યાત કમ્પોઝરની સલાહ સ્વીકારી અને
સમય જતાં અથાગ મહેનત કરીને એ પોતાના જમાનાનો અગ્રણી અમેરિકન મ્યુઝિક મંત્ર માનવતાનો. 30
કમ્પોઝર બન્યા.