________________
જ્ઞાનની લગની ૧૮મી સદીમાં પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ્ સર વિલિયમ હોન્સ કૉલકાતાની હાઈબ્રેર્ટના ન્યાયાધીશ તરીકે ભારતમાં આવ્યા. બાળપણથી જ જુદી જુદી ભાષાઓ શીખવાનો એમને શોખ હતો અને એથી વિદ્યાર્થી અવસ્થામાં ગ્રીક, ફ્રેન્ચ, લૅટિન ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું. ફારસી અને ઇટાલિયન ભાષા પણ શીખ્યા હતા. પોર્ટુગીઝ, જર્મન, હિબ્રુ અને તુર્કી ભાષાનું પણ વ્યવહારોપયોગી જ્ઞાન મેળવી લીધું
હતું.
ભારતમાં આવ્યા પછી સંસ્કૃત શીખવાની એમને લગની લાગી, પરંતુ કોઈ આ ‘પ્લેચ્છને સંસ્કૃત શીખવવા તૈયાર ન હતું. ઘણી મહેનત પછી એક પંડિતજી કઠોર શરતો સાથે સંસ્કૃત શીખવવા તૈયાર થયા.
એમણે શરત કરી કે જે ખંડમાં બેસીને તેઓ સંસ્કૃત ભણાવશે, ત્યાં માત્ર એક ટેબલ અને બે ખુરશી જ હોવી જોઈએ. રોજ એ ઓરડો પાણીથી ધોઈને શુદ્ધ કરવાનો રહેશે. આ માટે સર વિલિયમ જહોન્સે માંસ-મદિરાનો ત્યાગ કરવાનો રહેશે. પંડિતજીને લાવવા-લઈ જવા માટે પાલખીની વ્યવસ્થા કરવી પડશે.
કૉલકાતા હાઈકોર્ટના આ વિદ્વાન ન્યાયાધીશ અને ભાષાપ્રેમીએ સઘળી શરતોનો સ્વીકાર કર્યો. સર વિલિયમ હોન્સ થોડીઘણી હિંદી ભાષા જાણતા હતા અને પંડિતજી અંગ્રેજીનો એકેય અક્ષર સમજી શકતા નહીં. થોડો સમય તો શીખવાની ભારે મુશ્કેલી પડી, પરંતુ એ પછી વિલિયમ જ્હોન્સનો ભાષાપ્રેમ જોઈને પંડિતજી પ્રસન્ન થયા અને એમણે દિલ દઈને સંસ્કૃતિનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું.
સમય જતાં વિલિયમ હોન્સ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન બન્યા. કાલિદાસના થી પ્રખ્યાત નાટક ‘અભિજ્ઞાન શાકુંતલ'નો અનુવાદ કર્યો અને એ પછી “ઋતુસંહાર' અને મંત્ર માનવતાનો ‘ગીતગોવિંદ' ગ્રંથનો પણ અનુવાદ કર્યો. આમ જ્ઞાનની લગનીએ એક અંગ્રેજને સંસ્કૃત
102 ભાષાના સમર્થ વિદ્વાન બનાવી દીધા.