SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓમાં રાજા અજિતની વીરતા ગવાતી. પણ આજે આ જંગલમાં, સુંદરી જડે ક્યાંથી ? ને ન જડે તો મહારાજની રાત બગડે એનું શું ? આજ સુધી કદી ઊભો ન થયેલો એક મૂંઝવતો પ્રશ્ન ખડો થઈ ગયો, પણ હજારોની શત્રુસેના વચ્ચે આરપાર નીકળવાનો માર્ગ શોધનાર આ મારુ વીરોને, આ આ મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢતાં વાર ન લાગી. હડકાયા કૂતરા જેવા થોડા રાજસેવકો આજુબાજુના ગામડામાં જઈ પહોંચ્યા. દુર્ગાદાસની લોક ક્રાન્તિના દિવસો હતા. જનપદ નિરાપદ હતાં. રાજસેવકો ટૂંઢતા ટૂંઢતા નજીકના ગામમાં આવ્યા. ઘેર ઘેર ફરવા લાગ્યા, એ ક ઘરમાં એમણે પોતાનું ઇસિત જોયું. બાર વર્ષની પૂનમના ચાંદ જેવી કન્યા, ઘરમાં રૂપનાં અજવાળાં પાથરતી જોઈ. સહુએ એ ઘેર ધામા નાખ્યા. | ભોળા ગૃહપતિએ ને સુશીલ ગૃહિણીએ રાજ સેવકોને ઝાઝાં આદરમાન દીધાં. પણ આ તો જેનું અન્ન ખાધું એનું અન્ન હરામ કરનારા હતા. થોડી વારે માબાપને ઘરના ઓરડામાં પૂરી કન્યાને ઉપાડી ચાલતા થયા. | બાર વર્ષની કન્યા મૃગલીની જેમ ફાળ ખાઈ ગઈ. કર્મચારીઓએ જઈને વૈદરાજને એ કાચી કળી સોંપી. વૈદરાજે એને કંઈક ખવરાવ્યું, કંઈક શલાકા જેવું એનાં કોમળ અંગોમાં ભોંક્યું. એ પછી એ કોમળ કન્યાને રાજાના શયનગૃહમાં મોકલી આપવામાં આવી ! બૂરા દેવળની આ ભૂમિ આખી રાત અસહાય અબળાની ચીસોથી કંપાયમાન રહી. સવારે છુંદાયેલી એ કળીને વૈદરાજને હવાલે કરવામાં આવી. વૈદરાજે મહારાજની પ્રસન્નતા ને છોકરીની દુર્દશા જોઈ પોતાના *અગદની સફળતાનો આનંદ માણ્યો. એમણે છોકરીને સ્વસ્થ કરવાના પ્રયત્ન શરૂ કરતાં રાજ સેવકોને કહ્યું : ‘કાચી કળીની મજા ઓર છે. મારા ઔષધનો ચમત્કાર તો જોજો. અત્યારે છૂંદાયેલી ચિમળાયેલી આ કોમળ કળી, સાંજે પૂનમના પોયણા જેમ ખીલી ઊઠશે !' સહુ યાર દોસ્તો આ સાંભળી હસી પડ્યા, ને એમના અગદની તારીફ સંભળાવવા વારંવાર આગ્રહ કરવા લાગ્યા. વૈદરાજ પણ સોળે કળાએ ખીલ્યા. તેમણે કહ્યું : અમે આપેલું એક તાંબુલ, એક શલાકા, એ ક ગુટિકા, એક ચાવલભાર ભસ્મ માણસને નવયૌવન બની શકે છે ! એ ખૂબી દેશી વૈદકની અને એમાંય લાખમાં એક એવા અમારા રસવૈદોની છે ! વીજળીથી વૃક્ષ નાશ પામે એમ અમારા રસાયણથી અગિયાર પ્રકારનો થય, પાંચ પ્રકારની ખાંસી, અઢાર પ્રકારનો કોઢ, પાંડુ, પ્રમેહ, શૂલશ્વાસ, હરસમસા ને તમામ પ્રકારના ત્વચા રોગ નષ્ટ થાય છે : સૂર્યને જોઈ અંધકાર નષ્ટ થાય તેમ.” ‘વૈદરાજજી ! ખાનગી ન હોય તો આપ કઈ કઈ વસ્તુનો અગદ તરીકે ઉપયોગ કરો છો, તે પણ કહો. અમારે કંઈ તમારો ધંધો પડાવી લેવો નથી. આ તો જાણવાના કુતૂહલ ખાતર પૂછીએ છીએ.’ રાજસેવકોને વૈદરાજની વાતોમાં રસ પડ્યો. ‘હું અન્ય વૈદો જેવો ખાનગીમાં માનનારો નથી. અત્યારે મારી પાસે પારદ રસનો પ્રયોગ છે.” પારદ એટલે તો પારો ને ?' ‘હા, પણ પારો કહેવાથી ચાલતું નથી. એ વિષ પણ છે. જો એને સિદ્ધ કરતાં ન આવડ્યું તો, માણસને ગાંડો, અપંગ બનાવે છે : ને શીધ્ર મૃત્યુ પમાડે છે ! લાખ વૈદોમાં હજાર વૈદો આ પારા વિશે જાણે છે. હજારમાં સો વદો પારદનું મારણ જાણે છે. ને સોમાં બે રસવૈદો જ એ પ્રયોગમાં મૂકી શકે છે !' ‘સોમાં બે જણા જ ?' ‘હા, માટે જ સંસારમાં રસવંદની ખ્યાતિ છે. તૃણ-કાષ્ટ ઔષધના વૈદોની અમારે ત્યાં કોઈ ગણતરી નથી. એ માત્ર કોડી ઉપાર્જન કરનારા વૈદો છે, જ્યારે રસર્વેદ એક પ્રયોગે લાખો રૂપિયા કમાઈ શકે છે, રસવંદ રાજવૈદ ક્યારે થઈ શકે, એનીય અમારે ત્યાં કસોટી છે, એ જાણો છો ?' વૈદરાજ ખીલ્યા હતા. આ વાતમાં એમનું અભિમાન પોષાતું હતું તેમજ તેમની જાહેરાત પણ થતી હતી. ‘ના જી !' ‘અમારા શાસ્ત્રમાં એક શ્લોક છે. એમાં કહ્યું છે, કે જેને સાત કંચુકીવાળા પારાને સ્વેદન આદિથી જ્યાં સુધી શુદ્ધ કરતાં આવડવું ન હોય, જ્યાં સુધી એ પારાને મૂર્જિત કરતાં શીખ્યો ન હોય, ગંધકની સાથે એને બાંધવાની આવડત આવડી ન હોય, હીરા ને અભ્રકને ભસ્મસાત કરતાં જાણ્યું ન હોય, સુવર્ણ માલિક આદિ ઉપધાતુઓને શુદ્ધ કરવાનો કસબ પિછાણ્યો ન હોય, વિષને મારતાં, તૈલપાક કરતાં આવડ્યું ન હોય, એ રસવંદ રાજાઓની પાસેથી રાજવૈદની પદવી પ્રાપ્ત કરવાની આશા પણ સેવી શકતો નથી !' | ‘ભારે કસોટી ! આ બિચારા ટઈડકુંજિયા વેદોની આમાં કા ગતિ ?” એક વિદ્વાન લેખાતા પાસવાને જરા શબ્દોની છટા સાથે કહ્યું. ‘કવિવર કોકિલજી ! સાહિત્યના જેમ અનેક પ્રકાર છે, તેમ અમારે ત્યાં ચિકિત્સાના પણ અનેક પ્રકારો છે. પણ એમાં મુખ્ય ચિકિત્સા ત્રણ પ્રકારની હોય છે. દૈવી, માનવી ને આસુરી. દૈવી ચિકિત્સાવાળો વૈદ જ રાજાઓમાં પ્રિય છે. અસાધ્ય રોગોમાં એક ચાવલભાર એની દવા અજબ ચમત્કાર સર્જી શકે છે. સો માઈલ બૂરા દેવળના બંદાઓ [ 155 * અગદ એટલે ઔષધ, 154 B બૂરી દેવળ
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy