________________
जातिं च वुद्धिं च इहज्ज पास, भूतेहि जाणे पडिलेह सातं; तम्हा तिविज्जो परमंति णय्या, संमत्तदंसी ण करेति पावं ।।
હે આર્ય! આ સંસારમાં જન્મ અને જરાનાં દુ:ખોને જો! સંસારના સર્વ પ્રાણીઓને પોતાના સમાન સમજ. જેમ તને સુખ પ્રિય છે તથા દુ:ખ અપ્રિય છે; તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે એવો વિચાર કરી તારું પોતાનું વર્તન સુધાર! એવા પરમ કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદર્શી પાપકર્મ કરતો નથી.
– આચારાંગ સૂત્ર અધ્યયન ૩, ઉદ્દેશ ૨ (૧૭૯)