________________
કેવળી પ્રભુનો સાથ
મોજાંની ઝાપટથી સંસારરૂપી સમુદ્રમાં પ્રાણી ગળકાં ખાતો રહે છે અને દુઃખ વેદતો રહે છે. પ્રભુનાં માતા ક્ષીરસમુદ્રનાં દર્શન કરે છે. ક્ષીર સમુદ્ર એટલે દૂધનો દરિયો. દૂધ જેમ સર્વ પ્રકારે ગુણકારી છે, તેમ ધર્મ પણ સર્વ પ્રકારે ગુણકારી છે. ધર્મનું પાન કરવાથી પ્રાણી આ સંસારસાગરને પાર કરવા સમર્થ બને છે.
આ ક્ષીરસાગરના દર્શનથી એ સમજાય છે કે આવનાર બાળક ધર્મામૃતની સહાયથી સંસારસમુદ્રને પાર કરવાની અણી સુધી પહોંચ્યા છે. માતા પોતા ત૨ફ કિનારો અને બીજી ત્રણ બાજુ વિશાળ સમુદ્રને ઘૂઘવતા મોજાં સાથે જુએ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અનેક પ્રકારની આપત્તિઓ તથા વિપત્તિઓનો સામનો કરી, તેને પસાર કરી પ્રભુ સંસારસાગરના કાંઠા સુધી આવી ગયા છે, અને તેમ કરવામાં આત્મધર્મનો ફાળો ઘણો મોટો રહેલો છે. સાથે સાથે તેનાથી એ પણ સમજાય છે કે તેઓને સમુદ્રનાં પેટાળમાં રહેલાં રત્નો અર્થાત્ જ્ઞાનસાગરનાં અમૂલ્ય એવાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર રૂપ કિંમતી રત્નની પ્રાપ્તિ પણ થઈ છે.
શ્રી તીર્થંકર પ્રભુનાં માતા ભરતી સમયના સમુદ્રનાં દર્શન કરે છે. તેમાં વિશાળ મોજાંઓ દૂર દૂરથી નજીક આવી, કાંઠા પર વિરમી જાય છે. એ સ્થિતિ એમ સૂચવે છે કે અનેક જીવ પ્રભુના બોધ થકી સંસારસમુદ્રનો પાર પામવાના છે, અર્થાત્ પ્રભુની પ્રત્યેક દેશના વખતે પ્રાણીઓ સંસારની અસારતા જાણી, તેનાથી છૂટવા અને આત્મસુખનાં શિખરે પહોંચવા પુરુષાર્થ આદરવાના છે. આ દૃષ્ટિકોણથી વિચારતાં આ સ્વપ્ન દ્વારા પ્રભુનાં ભૂતકાળ તથા ભાવિકાળ બંને વિશેની સમજણ મળે છે.
- દેવવિમાન અથવા ભવન
બારમું સ્વપ્ન
શ્રી પ્રભુનાં માતા પ્રભુ જે ગતિમાંથી આવ્યા હોય તે અનુસાર દેવિવમાન અથવા ભુવનને જુએ છે. આમ આ સ્વપ્ન પ્રભુનાં પૂર્વજન્મની ઓળખ માતાને આપે છે.
-
તીર્થપતિ જો દેવગતિમાંથી અવીને મનુષ્યગર્ભમાં આવ્યા હોય તો તેઓ જે દેવવિમાનમાં છેલ્લે વસ્યા હોય તે દેવવિમાનનાં દર્શન માતા કરે છે. તેઓ દેવગતિનાં
૫૪