________________
કેવળી પ્રભુનો સાથ
તેમજ પારમાર્થિક બંને પ્રકારની શાતાના નકારને કારણે, તથા પરની સુખબુદ્ધિ ક્ષીણ થઈ હોવાને કારણે તેમને પુણ્યબંધનો પણ નકાર પ્રવર્તતો હતો. આ સુખબુદ્ધિ જવાથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ખૂબ વધ્યો અને જ્ઞાનની ખૂબ જ ખીલવણી થઈ. તેથી ધર્મધ્યાનની શૂન્યતામાં જે પુણ્ય અને શાતા વેદાય તેની ઇચ્છા છૂટી ગઈ, પરંતુ શુકુલધ્યાનના અનુભવમાં જે શાતા વેદાય અને પુણ્ય બંધાય તેની ઇચ્છા સૂક્ષ્મતાએ વર્તતી હતી. એટલે કે તેમાં જવાની અને રહેવાની ઇચ્છા પ્રવર્તતી હતી.
આ સ્થિતિ પણ ત્રીજા તબક્કાના અંતભાગમાં પલટાઈ ગઈ. ગમે તેવા વિપરીત કે સાનુકૂળ સંજોગોમાં પણ તેમનું મન શાતાના અભિલાષથી દૂર રહેવા લાગ્યું. માત્ર આત્મસ્થિરતા યથાવત જાળવવી અને સ્વરૂપસ્થિતિ માણવી. એ જ ધ્યેયથી તેઓએ જીવવાનું શરૂ કર્યું. આને લીધે ગુલધ્યાનમાંથી જન્મતા પરમાર્થ પુણ્યનો નકાર પણ તેમના આત્મામાં શરૂ થયો. એમની ધર્મધ્યાનની અને શુકુલધ્યાનની સ્થિતિમાં આત્માનાં પરિણામ સમ થયાં. ગમો અણગમાને ભાવ સદંતર નીકળી ગયો. તેથી તેઓ મુખ્યતાએ શુભાશુભ કોઈ પણ ઉદયમાં સ્થિતપ્રજ્ઞની દશામાં રહેતા હતા. તેથી પૂર્વસંચિત કર્મોની બળવાન નિર્જરા થવા સાથે શુક્લધ્યાનમાં ધર્મધ્યાન તથા શુકલધ્યાનથી નિપજતાં પુણો પણ ક્ષય થતાં ગયાં. શુકુલધ્યાનમાં હોય ત્યારે તેના થકી જે શાતા વેદાય તેના પણ નકારની શરૂઆત થઈ. શુકુલધ્યાનમાં અનુભવાતી શાતાની અનિચ્છાને લીધે શુકુલધ્યાનથી નિપજતું પુણ્ય શુકુલધ્યાનમાં રહેવા માટે જોઈતા પુણ્યમાં પલટાવા લાગ્યું કે જે પુણ્ય કેવળજ્ઞાન પછી સ્વરૂપમાં રહેવા અને સ્વરૂપની અનુભૂતિ માણવા માટે ખૂબ ખૂબ ઉપયોગી થાય. આમ આ તબક્કામાં તેમના આત્માએ આજ્ઞાનું લગભગ પૂર્ણતાએ આરાધન કરી પોતાનું સ્વરૂપમાં એકલીન કર્યો. ઉદયાનુસાર તેઓ જ્યારે સ્વરૂપથી બહાર નીકળે ત્યારે તેઓ આજ્ઞાનું આરાધન કરી પૂર્વ કર્મોને આજ્ઞારૂપી તપથી બાળવાનું કાર્ય કરતા હતા. આમ બેવડા દોરે આજ્ઞાનું આરાધન કરી તેમણે કેવળજ્ઞાનને ખૂબ જ પોતાની સમીપ લાવી દીધું. તેથી તેમને નિશ્ચય થઈ ગયો હતો કે તેમને હવે એક જ દેહ ધારણ કરવાનો બાકી છે. સામાન્યપણે આત્મદશામાં આગળ વધ્યા પછી જે દેવલોકનો
૪૨૬,