________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ભવ આવે છે તેનાથી તેમનો આત્મા પૂણ્યકર્મને શુકુલધ્યાનમાં બાળીને છૂટી ગયો હતો. સ્વાત્મવૃતાંતમાં આ નિશ્ચય આવતાં તેમણે લખ્યું હતું કે, –
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ જો .”
ચોથા તબક્કામાં બાહ્યસ્થિતિ સાનુકૂળ થતાં ઉપર જણાવેલી પ્રક્રિયાએ ઘણું વિશેષ જોર પકડયું અને સં. ૧૯૫૬ સુધીમાં તેમનાં વીતરાગતા તથા જ્ઞાનદર્શન ખૂબ ખૂબ ખીલ્યાં. ઉત્કૃષ્ટ કહી શકાય એવું શ્રુતકેવળીપણું પ્રગટ થયું. સાથે સાથે ધર્મધ્યાન અને શુકુલધ્યાનથી બંધાતા મહત્તમ પુણ્યનો દેવલોકના ભવને ક્ષીણ કરે તથા હવે પછીના મનુષ્ય જન્મમાં નાની વયે કેવળજ્ઞાન પ્રગટાવી શકાય તેટલા પ્રમાણમાં ક્ષય કર્યો. એટલે કે સંસારી શાતાવેદનીયનો તેમણે એટલી મોટી માત્રામાં ક્ષય કર્યો હતો કે દેવલોકનો ભવ કુદાવી, ઉત્તમ મનુષ્ય જન્મ મેળવી, બાર વર્ષ જેવી નાની વયે કેવળજ્ઞાન પ્રગટાવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થ પ્રવર્તાવવાનું તેમણે શરૂ કર્યું છે. આમ તેમને આજ્ઞાના માર્ગનાં ઊંડાણની અને મહાભ્યની એવી અનુભૂતિ આવી હતી કે તેનો અભુતતાથી ઉપયોગ કરી તેઓ ભરતક્ષેત્રનાં સુંડાવસર્પિણી કાળનાં એક અખેરારૂપ જીવન જીવી ગયા. અને સહુ જીવોને ઉત્તમ કલ્યાણમાર્ગની ભેટ આપી ગયા.
૪૨૭