________________
કેવળી પ્રભુનો સાથ
અલખ લે એટલે આત્માની લય. તેમાં સમાઈ જવું એટલે પરમાત્મા સાથે એકરૂપ થવું. ‘આત્માએ કરી સમાવેશ થયો છે.' એનો અર્થ એ છે કે પ્રભુને મન, વચન, કાયા સહિત આત્મા સોંપાઈ ગયો છે, અર્થાત્ તેમને છઠ્ઠા ગુણસ્થાનનો સ્પર્શ થયો છે. લગભગ દશ બાર દિવસમાં જ, ક્ષાયિક સમિકત લીધા પછી આ દશા તેમને મળી હતી. ‘યોગે કરીને કરવો એ એક રટણ છે' તે વચન માટે એમ સમજી શકાય કે ત્રણે યોગને એકરૂપ કરી પરમાત્મામાં ત્વરાથી સમાઈ જવું છે એવી ભાવના તેમણે ભાવી સાતમા ગુણસ્થાને પહોંચવાની રટનાનો આમાં ઉલ્લેખ જોઈ શકાય છે. છઠ્ઠાથી આગળ વધી સાતમા ગુણસ્થાને જલદીથી પહોંચવાનો પુરુષાર્થ તેઓ વધારી રહ્યા છે એવી સમજણ આ વચનોમાંથી પ્રકાશિત થાય છે. ઉદયમાં રહેલા પ્રસંગોમાં તેઓ નિસ્પૃહ રહી, આત્માના ગુણોને ખીલવવાની પ્રવૃત્તિમાં તેઓ ઓતપ્રોત થતા જતા હતા. ‘આજ્ઞા’એ ચાલી કલ્યાણ પામવાનો માર્ગ તેમને ખૂબ ટૂંકો અને સરળ જણાયો હતો. તેનું દઢત્વ તેમને સં. ૧૯૪૭ ના વર્ષમાં વિશેષ જણાતું હતું, તેવા ઉલ્લેખો તેમણે લખેલા પત્રોમાં વારંવાર જોવા મળે છે.
છે, અર્થાત્ નિર્વિકલ્પ થવાની ભાવના
-
“કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે, એમ સમજવું.” (કાર્તક સુદ ૧૨, ૧૯૪૭. આંક ૧૬૭)
“સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે કે, ‘ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા’.” (પોષ ૧૯૪૭. આંક ૧૯૪).
“ભાવ અપ્રતિબધ્ધતાથી નિરંતર વિચરે છે એવાં જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના, અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં
૪૧૦