________________
શ્રી અરિહંતનો મહિમા
હોતા નથી, તેવા આત્માના નિમિત્તથી નિત્યનિગોદમાંથી નીકળનાર જીવ કેટલીકવાર “સ્ત્રીલિંગસિદ્ધા” થાય છે. તેમ થવા માટે બીજી કેટલીક ખાસિયત આ પ્રમાણે જરૂરી છે.
સ્ત્રીલિંગસિદ્ધા થનારને આગળ વધવા માટે મુખ્યતાએ ક્ષયોપથમિક જ્ઞાનીઓનું નિમિત્ત મળે છે, બહુ ઉચ્ચદશાવાન આત્માનું નિમિત્ત તેને મળતું નથી. એ જીવને ૐ ની રચના કરતાં છ સમય જેટલો કાળ વીતી જાય છે. તેને પૃથ્વીકાયમાં આવ્યા પછી ચોથા રુચક પ્રદેશની આસપાસના પ્રદેશો પહેલા શુભ થાય છે, અને પછીથી બીજા પ્રદેશો શુભ થાય છે. ચરમ સંજ્ઞીપંચેન્દ્રિયપણાના નવસો ભવમાં તે જીવના વધુમાં વધુ ભવો તિર્યંચગતિના અને સ્ત્રીવેદના હોય છે. અર્થાત્ તેનાં જીવનમાં માયાકપટનું વર્ચસ્વ વધારે રહે છે. તેને ઉપશમ સમકિત પામ્યા પછી પણ આશ્ચર્ય ઉપજાવે તેવી તિર્યંચગતિ આવી જાય છે, અને તે પછી આગળ વધી ક્ષયોપશમ સમકિત આદિ મેળવે છે. વિકાસની ગતિ મંદ રહે છે. આ બધા નિયમાનુસાર જે જીવ સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધ થાય છે. તેને બીજી કોઈ પદવી નિયમપૂર્વક હોતી નથી.
આ રીતે સિદ્ધ થતાં જીવનાં નિમિત્તે જે જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળે છે તે જીવનું પ્રત્યેક એકેંદ્રિયપણાની પ્રગતિનું પરિભ્રમણ ઓછામાં ઓછું અનંતકાળનું હોય છે; સિદ્ધ થવાના પંદર ભેદોમાં, આ ભેદથી સિદ્ધ થતા ભગવનના નિમિત્તથી ઇતર નિગોદમાં આવનાર જીવનું પરિભ્રમણ ઘણું વિશેષ હોય છે.
૬. પુરુષલિંગ સિદ્ધા સ્ત્રીલિંગસિદ્ધાની હરોળમાં આવે એવો સિદ્ધ થવાનો બીજો પ્રકાર તે પુરુષલિંગસિદ્ધાનો છે. પુરુષદેહે તો અનંત આત્માઓ સિદ્ધ થયા છે, પણ તે સહુ આ પ્રકારમાં આવતા નથી. જેઓ આ પ્રકારમાં આવે છે તેમના પરિભ્રમણકાળમાં નીચે જણાવ્યા પ્રમાણેની બાબતો દેખા દેતી હોય છે.
એ જીવે નરદેહે, પણ તિર્યંચગતિમાં અંતવૃત્તિસ્પર્શ કર્યો હોય છે. એ જીવ તિર્યંચગતિના નરદેહે વ્યવહાર સમકિત પામ્યો હોય છે. તે જીવ જે જન્મમાં ક્ષયોપશમ
૧૫