________________
આણાએ ધમ્મો, આણાએ તવો
કે અહીં ‘સ્વરૂપસ્થ આત્મસ્થિતિ' નું સૂચવન કરવા માટે “ધર્મ' શબ્દ પ્રયોજાયો છે. ઉપર જણાવેલા સહુ સાધનોનો સદુપયોગ કરવાથી, આજ્ઞાનું ઉત્તમતાએ આરાધન કરતાં થવાથી જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. જેમ જેમ જીવ સ્વચ્છંદનો ત્યાગ કરી, ગુરુ અને પ્રભુની ઇચ્છા પ્રમાણે વર્તતાં શીખતો જાય છે, તેમ તેમ તેને સંસારી પદાર્થોનો રાગ ઘટતો જાય છે, અને તે દેહ સહિતના સર્વ પદાર્થોથી અલિપ્ત થતાં શીખતો જાય છે. આવી સર્વ પદાર્થથી ભિન્નતાવાળી સ્થિતિમાં આત્માને સ્થાપવો, તેમાં સ્થિર કરવો તે જ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. અને એ સ્વરૂપમાં શક્ય તેટલું વધારે રહેવું તે આત્માનો ધર્મ છે. આ રીતે સ્વરૂપસ્થ થવા માટે “આજ્ઞા” અન્ય સાધનો કરતાં વિશેષ ઉપકારી થાય છે, અન્ય સાધનો એકાંતે આચરવાથી દોષરૂપ નીવડે છે, પણ તે જ સાધનો આજ્ઞા સહિત આચરવાથી ગુણરૂપ બની જીવને સ્વરૂપસ્થ થવામાં સહાય કરે છે. આ સમજણનો લક્ષ કરાવવા શ્રી પ્રભુએ “આણાએ ધમ્મો' સૂત્ર આપણને આપ્યું જણાય છે.
કોઈ પણ છદ્મસ્થ જીવ બે ઘડીથી વધારે સમય માટે પોતાનાં સ્વરૂપમાં એકાકાર, રહી શકતો નથી, કોઈને કોઈ પ્રકારનાં કર્મનાં ઉદય તેને સ્વરૂપ સ્થિરતામાંથી બાહર કાઢી પર પદાર્થ સાથે અનુસંધાન કરાવે જ છે, એટલે તે જીવ પાછો સંસારી પદાર્થો સાથે પૂર્વના અભ્યાસના પ્રભાવથી જોડાય છે. ફરીથી સ્વરૂપનું અનુસંધાન કરવા માટે આજ્ઞાસહિત આચરેલું તપ ખૂબ ઉપકારી થાય છે. અન્ય ધર્મ આચરણ કરવામાં સહાયક તત્ત્વો જો આજ્ઞારહિતપણે આરાધાય તો સ્વચ્છંદના કારણે અનેક દોષ ઉદ્ભવતા હોવાથી જીવ સ્વરૂપમાં લીન થઈ શકતો નથી, ફરીથી લીનતા મેળવવા માટે જીવને સર્વ ધર્મક્રિયા આજ્ઞાહિત કરવી જરૂરી બને છે. આમ આજ્ઞાના પાલન સાથે આચરેલું તપ તેને સહુથી ઉપકારી થાય છે. કારણ કે તપના અનેક પ્રકારોમાં અન્ય સર્વ સાધનોનો સમાવેશ થાય છે. અને તે પણ આજ્ઞાસહિત હોવાથી કર્મ નિર્જરા માટે બળવાનમાં બળવાન સહાયક થાય છે. આ પ્રકારે જીવ શ્રી સદ્ગની દોરવણીથી તેમની આજ્ઞાનું પાલન કરી પોતામાં એકાકાર થાય છે. આમાં આજ્ઞા એ કારણ બને છે અને ધર્મ તેનું કાર્ય અથવા પરિણામ થાય છે. આમ ગુરુની આજ્ઞા મેળવી જીવ
उ४७