________________
શ્રી અરિહંતનો મહિમા
એક સાથે ઉત્કૃષ્ટ એકસો સાઠ તથા જઘન્ય વીશ તીર્થકર થાય છે. અન્ય જીવોની અપેક્ષાએ તીર્થંકર પ્રભુની સંખ્યા ઘણી નાની હોય છે. તીર્થકર થવા માટે જીવમાં જે જે યોગ્યતાની જરૂર છે તે બધી જ યોગ્યતાની જરૂર ‘તીર્થકર સિદ્ધાર્ટ થવા માટે છે.
તીર્થકર થવા માટે લગભગ ૨૫૦ થી ૩૦૦ ભવનું સહુ જીવના કલ્યાણના ભાવનું ઘૂંટણ, લગભગ ૨૫૦ ભવનું ચારિત્ર, ૧૫૦ ભવનું આચાર્યપણું, અમુક આત્મા સાથે આત્માનુબંધી કે આત્મયોગનું ઉપાર્જન (જેઓ તેમના ગણધર બને છે), ઘણા ભવના કર્તારહિતપણે સ્વયં રિત કલ્યાણ કરવાના ભાવ વગેરે જરૂરી છે, વળી તીર્થકર થનાર આત્મા સિદ્ધ થતા તીર્થકરના નિમિત્તથી નિત્ય નિગોદમાંથી નીકળ્યો હોય, છેલ્લા આવર્તનમાં વિકાસ માટે તીર્થકર કે ભાવિ તીર્થકરનું નિમિત્ત મળવું, ઇત્યાદિ અનિવાર્ય છે. આ વિશે છૂટું છવાયું ઘણું કહેવાયું છે તેથી વિશેષ લખ્યું નથી.
૨. અતીર્થકર સિદ્ધા આ પ્રકાર સમજવો થોડો કઠિન છે, તેથી ધ્યાન આપવું જરૂરી છે. જે જીવ નિત્ય નિગોદમાંથી નીકળ્યા પછી પુણ્યના બળે વિકાસનાં દરેક પગથિયે તીર્થંકર પ્રભુનું બળ મેળવે, અને લગભગ બધો વિકાસ તીર્થંકર પ્રભુ કે ભાવી તીર્થંકરના નિમિત્તથી કરે, છતાં પરમાર્થ સંસારની કોઈ પણ પદવી પ્રાપ્ત કરે નહિ, તે માત્ર પોતાનું પરિભ્રમણ અલ્પ કરે, અને શ્રી તીર્થકર પ્રભુ સિધ્ધ થાય તે જ વખતે તેઓ પણ સિદ્ધ થાય, તે આત્મા અતીર્થકર સિદ્ધાના પ્રકારમાં આવે. આમ આ પ્રકાર માટે બે ખાસિયત ગણી શકાય – તીર્થકર કે ભાવિ તીર્થકરના નિમિત્તથી વિકાસ કરવા છતાં કોઈ પદવીધારી ના થવું અને તીર્થંકર પ્રભુની સાથે, તે જ સમયે સિદ્ધ થવું.
આમ જોઈએ તો શ્રી તીર્થકર ભગવાન અને આ આત્માનો સમુઘાત કરવાનો લગભગ એક જ સમય આવે, તેથી આ જીવને શ્રી પ્રભુનાં નિમિત્તે ઘણું બળ મળે છે. આનું પરિણામ એ આવે છે કે આ પ્રભુનાં નિમિત્તથી જે જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળે છે તે નિયમપૂર્વક કોઈ ને કોઈ પદવીધારી ભવ્ય આત્મા બને છે. પોતે પદવી લેવા સમર્થ ન થયા હોવા છતાં પણ અન્યને પદવી આપવા તેઓ સમર્થ