________________
કેવળી પ્રભુનો સાથ
જીવને મળતી આ સમર્થતાનું મૂળ વર્તમાનના સપુરુષની કક્ષા તથા પુરુષાર્થમાં રહેલું છે, તેના આ પ્રકારના સપુરુષની પ્રાપ્તિનું મૂળ, તે જ્યારે નિત્યનિગોદમાંથી બહાર નીકળી ઇતર નિગોદમાં જે ભગવાનનાં નિમિત્તથી આવે છે, તે ભગવાનના વિકાસના પરમાર્થ પુરુષાર્થમાં રહેલું છે. એ પ્રભુનો પુરુષાર્થ જેમ ઉત્તમ તેમ તેઓ જીવને વિશેષ બળનું દાન આપી શકે છે. અને મળેલાં દાનને આધારે જીવ પોતાનો પુરુષાર્થ, પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી વધારે કે ઓછો કરી શકે છે. અને પોતાના પુરુષાર્થને આધારે અન્ય જીવને પુરુષાર્થ કરવામાં મદદ કરી તેના પર ઉપકાર પણ કરી શકે છે.
શ્રી ભગવાનના જણાવ્યા પ્રમાણે કેવળી પ્રભુ પંદર ભેદે સિદ્ધ થાય છે. આ બધા ભેદ પ્રભુએ કેવળજ્ઞાન લેતાં પહેલાં અને પછી જે પુરુષાર્થ કર્યો હોય છે તેના આધારે નક્કી થાય છે. બાકી કેવળજ્ઞાન પછી તો સહુ આત્માનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય સમાન હોય છે, માત્ર અઘાતી કર્મના સંચયમાં તફાવત હોય છે. પણ આ બધા તફાવતના આધારે સિધ્ધના ભેદ નક્કી થાય છે. પંદર ભેદે સિદ્ધ આ પ્રમાણે થાય છે –
૧. તીર્થકર સિદ્ધા, ૨. અતીર્થકર સિદ્ધા, ૩. તીર્થ સિદ્ધા, ૪. અતીર્થ સિદ્ધા, પ. સ્ત્રીલિંગ સિદ્ધા, ૬. પુરુષલિંગ સિદ્ધા, ૭. નપુંસકલિંગ સિદ્ધા, ૮. અન્યલિંગ સિદ્ધા, ૯. પ્રત્યેક બુદ્ધ સિદ્ધા, ૧૦. બુદ્ધિ બોધ સિદ્ધા, ૧૧. સ્વલિંગ સિદ્ધા, ૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધા, ૧૩. ગૃહસ્થલિંગ સિદ્ધા, ૧૪. એક સિદ્ધા, ૧૫. અનેક સિદ્ધા.
પંદર ભેદે સિદ્ધ ૧. તીર્થંકર સિદ્ધા પૂર્વના મનુષ્ય ભવમાં ઉત્કૃષ્ટતાએ ‘સર્વ જીવ કરું શાસનરસિ'નો ભાવ વેદી જે આત્મા તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, અને કેવળજ્ઞાન પ્રગટાવ્યા પછી આ નામકર્મના ઉદય સાથે શ્રાવક-શ્રાવિકા, અને સાધુ-સાધ્વીરૂપ ચતુર્વિધ સંઘનું સ્થાપન કરી, તીર્થ પ્રવર્તાવી, જે પ્રભુ સિદ્ધ થાય તે તીર્થકર સિદ્ધા કહેવાય છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળમાં માત્ર ચોવીશ ચોવીશ તીર્થંકર થાય છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં
૧૦