________________
કેવળી પ્રભુનો સાથ
“અત્રે ઉપાધિનું બળ એમને એમ રહ્યા કરે છે, જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે, તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધધર્મ જાણી વેદવા યોગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઇચ્છા અને આત્માનું ઢીલાપણું છે એવો વિચાર ખેદ આપ્યા રહે છે.” (જેઠ સુદ ૧૧, ૧૯૫૦. આંક ૫૦૭)
“ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે જે, આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે તો સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદયોગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિયોગ્ય
...
જણાતો નથી; પ્રત્યક્ષ ૨સરહિત એવું સ્વરૂપ દેખાય છે ... વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુધ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હજુ તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે.” (જેઠ સુદ ૧૪, ૧૯૫૦. આંક ૫૦૮)
આત્માને શુધ્ધ કરવાની પ્રવૃત્તિમાં સતત અપ્રમાદી રહેવાના તેમના ભાવ અહીં સ્પષ્ટ થાય છે. શુદ્ધિના પુરુષાર્થમાં સંસારી પ્રવૃત્તિ બાધાકારક થતી હતી તેનો ખેદ પણ તેમને ઘણો અનુભવાતો હતો. આ હકીકત આપણને ખ્યાલ આપે છે કે તેમની સંસારની સુખબુદ્ધિ મહદ્ અંશે ક્ષીણ થઈ ગઈ હતી. પોતે ત્યાગી ન થવાનાં કારણો વિચારતાં હતાં ત્યારે શ્રાવણી અમાસ ૧૯૫૦ ના રોજ તેમણે લખ્યું હતું કે,
-
“શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જો કે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદરુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને એ મંદચ વેદતાં પણ આત્મા ખેદમાં
૨૭૮