________________
કેવળી પ્રભુનો સાથ
જીવનો આઠમો પ્રદેશ ખૂલે છે, તે જીવને સાતમો અને આઠમો એમ બે પ્રદેશો એક સાથે ખૂલે છે, અને ભાવિમાં તે જીવ તીર્થકર થાય છે.
શ્રી તીર્થકર ભગવાનના આ આઠ રુચક પ્રદેશો નિમિત્ત મળતાં, પ્રસંગ પડતાં 3ૐની આકૃતિમાં ગોઠવાઈ જાય છે, અને એ દ્વારા વિશિષ્ટ બળ ઉત્પન્ન કરી તે આત્માને વિકાસમાં ખૂબ સહાય કરે છે. આ 3 આકૃતિની શરૂઆતથી ધર્મત્વ શરૂ થાય છે. ૐ એ પંચપરમેષ્ટિ ભગવંતના પ્રતિકરૂપ છે. પછી જ્યારે જ્યારે વિકાસની મહત્ત્વની ક્ષણો આવે છે ત્યારે શ્રી પ્રભુના ચક પ્રદેશો એકઠા થઈ ૐની આકૃતિ રચે છે, અને અમુક દશા સુધીનો વિકાસ થયા પછી એ પ્રદેશોની આસપાસથી ૐ ધ્વનિ ઊઠે છે, જે શ્રી પ્રભુના આત્માને અકષાયી થવામાં મદદરૂપ થાય છે. આમ આગળ વધતાં વધતાં જ્યારે શ્રી પ્રભુ ક્ષપક શ્રેણિ આરંભે છે ત્યારે અમુક વિશિષ્ટ રીતે તે પ્રદેશો દેહમાં ગોઠવાઈ જાય છે. સૌથી વધારે પ્રદેશો (છ) નાભિમાં રહે છે કારણ કે સૌથી બળવાન એવા મોહનીયનો ક્ષય કરવા સૌથી વિશેષ બળ જોઈએ. મોહનીય કર્મનાં મુખ્ય કર્મ પરમાણુઓ નાભિમાં રહેલાં હોવાથી તેનો નાશ માટે વધારે શુધ્ધ પ્રદેશો નાભિમાં ગોઠવાય છે. તે અશુધ્ધ પ્રદેશોને પ્રેરણા આપી શુધ્ધ થવામાં સહાય કરે છે. તે પછીનો પ્રદેશ હૃદયમાં રહે છે. અને હૃદયમાં અંતરાયનાં કર્મો વસતાં હોવાથી તે પ્રદેશોને પણ શુધ્ધ થવાની પ્રેરણા મળે છે. નાભિના પ્રદેશોમાંથી બળનો પ્રવાહ વહી હૃદય સુધી આવે છે અને અંતરાયનાશમાં મદદ કરે છે. એ પ્રદેશનો પ્રવાહ, નીચેથી આવતા પ્રવાહમાં ભળી મસ્તકમાં જાય છે, જ્યાં એક શુધ્ધ પ્રદેશ ગોઠવાયો હોય છે, અને જ્ઞાનદર્શનના આવરણો વિશેષતાએ એ ભાગમાં રહેલાં હોય છે. આખો પ્રવાહ એકરૂપ બની જ્ઞાનદર્શનનાં આવરણ ક્ષય કરી કેવળજ્ઞાની, કેવળદ તે આત્મા થાય છે. આ પરથી ઘાતકર્મોના ક્ષયનો ક્રમ પણ સમજાઈ જાય છે. - શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે એમના શુધ્ધ પ્રદેશો શ્રેણિના સમયના પ્રદેશોની માફક ગોઠવાઈ જાય છે. અન્ય પ્રદેશો, જે છદ્મસ્થ અવસ્થામાં મોહનીયથી વિશેષ છવાયેલા હતા તે પ્રદેશો શુધ્ધપ્રદેશની નીચે ગોઠવાય છે. વાચાવર્ગણાના ઉદયને કારણે ત્યાંથી ૐ ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને એક શુભ પ્રવાહ ઉપર તરફ વહે છે
૧૯૮