________________
કેવળી પ્રભુનો સાથ
મળતી નથી, અપવાદરૂપે તેવો યોગ મળે તો સત્શ્રધ્ધાવાન થઈ સમ્યક્દર્શન મેળવવું અતિ અતિ દુર્લભ થઈ જાય છે.
કોઈ અતિબળવાન પુણ્યના યોગે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો ચારિત્ર ગ્રહણ થવું દુર્લભ થાય છે. ચારિત્ર ગ્રહણ થાય તો તેનું પાલન એનાથી પણ દુર્લભ બને છે અને
ક્યારેક રત્નત્રય પામ્યા પછી પણ તીવ્ર કષાયનાં કારણે તે રત્નત્રય ગુમાવી ફરીથી દુર્ગતિમાં ગમન કરે છે.
આમ સન્માર્ગ પામવો અને પાલન કરવું એ ઉત્તરોત્તર દુર્લભ થતું જતું હોવાથી, જેમણે અતિ અતિ દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત કર્યો છે તેવા ભવ્ય જીવો! મનુષ્ય જીવનની દુર્લભતા સમજી મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ કરો એવો શ્રી ગુરુનો ઉપદેશ છે. કારણ કે મનુષ્ય ગતિ સિવાય અન્ય દેવાદિ શુભ ગતિમાં પણ ચારિત્રપાલન સંભવિત નથી. મનુષ્ય ગતિમાં જ સર્વ પ્રકારના કષાયોથી મુક્ત થવાનો પુરુષાર્થ છે.
આવું ઉત્તમ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય વિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નની ભસ્મ કરે છે એમ કહી શકાય. રત્નત્રયની પ્રાપ્તિ દુર્લભમાં દુર્લભ જાણી, હે ભવ્ય જીવો! તે રત્નત્રયનો આદર કરી આરાધન કરો.
ધર્મ ભાવના સમસ્ત ગુણ પર્યાયો સહિત સમસ્ત લોકાલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વશદેવ છે. આ સર્વજ્ઞદેવે રત્નત્રયના આરાધનરૂપ ધર્મ બે પ્રકારે ઉપદેશ્યો છે. ૧. સંગથી આસક્ત ગૃહસ્થ ધર્મ જે બાર ભેદરૂપ છે અને ૨. અસંગ મુનિધર્મ જે દશ ભેદરૂપ છે.
ગૃહસ્થધર્મ બાર પ્રકારે છે. તેમાં પ્રથમ ભેદ તો પચીસ મળદોષ રહિત શુધ્ધ અવિરતિ સમ્યક્દર્શન છે. અને બાકીના અગ્યાર ભેદ એ અગ્યાર પ્રતિમાઓના વ્રતો સહિત છે, તે વતી શ્રાવક છે. ૧. દર્શન પ્રતિમા ધારક. ૨. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત એમ બાર વ્રત સહિતના વતપ્રતિમાધારી.
૧૭૪