________________
કેવળી પ્રભુનો સાથ
મત્સર કરવાં તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બાંધવાના હેતુભૂત આશ્રવ છે. પરમાં સુખબુદ્ધિ કરવાથી અને તે સુખબુદ્ધિ પોષવા એક થી ચાર ઇન્દ્રિય જીવોનો ઘાત કરવાથી અનુક્રમે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ બંધાય છે.
દેવપૂજા, ગુરુસેવા, પાત્રદાન, દયા, ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, શૌચ, બાલતા આદિ શાતાવેદનીય બંધાવનાર આશ્રવ છે. પોતાને અથવા પરને કે બંનેને દુ:ખ, શોક, વધ, તાપ, આક્રંદ, વિલાપ કે અન્ય કષ્ટ ઉત્પન્ન કરવાં કે કરાવવાં તે અશાતા વેદનીય કર્મ બાંધવાના કારણો છે.
સદૈવ, સત્કર્મ અને સદ્ગુરુના અવર્ણવાદ બોલવા, તીવ્ર મિથ્યાત્વનાં પરિણામ કરવાં, સર્વજ્ઞ તથા સિધ્ધ ભગવાનની અમાન્યતા કરવી, ધાર્મિક જીવોને દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાનો ઉપદેશ કરવો, અસંયતિની પૂજા કરવી, સદ્ગુરુ આદિની અવજ્ઞા કરવી વગેરે દર્શન મોહનીય બાંધવાના આશ્રવો છે. કષાયના ઉદયથી આત્માનાં તીવ્ર પરિણામ થવાં તે ચારિત્ર મોહનીય બાંધવાના આશ્રવ છે. મશ્કરી, ઉપહાસ વગેરે હાસ્ય મોહનીયના આશ્રવો છે. અનેક સ્થળો જોવાના ભાવ કરવા, અનેક પ્રકારે ખેલવું રમવું વગેરે બીજાના ચિત્તને આકર્ષવાનાં કાર્યો પતિ મોહનીયના આશ્રવ છે. અસૂયા કરવી, પાપ કરવાની વૃત્તિ, બીજાના આનંદનો નાશ કરવો, વગેરે અરતિ મોહનીયના આશ્રવો છે. બીજાને ભય પમાડવો, ત્રાસ ઉપજાવવો, નિર્દય થવું વગેરે ભય મોહનીયના આશ્રવો છે. પોતે શોક ઉત્પન્ન કરી શોચ કરવો, બીજાને કરાવવો અને રુદન કરવામાં આસક્તિ રાખવી તે શોક મોહનીયના આશ્રવો છે. ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા, તેમનો તિરસ્કાર કરવો, સદાચારની નિંદા કરવી વગેરે જુગુપ્સા મોહના આશ્રવો છે. ઇર્ષા, વિષયોમાં લોલુપતા, અતિવક્રતા, મૃષાવાદ, વગેરે સ્ત્રીવેદ બાંધવાના કારણો છે. અનિષ્ફળ સ્વભાવ, મંદ કષાય, અવક્રાચાર, શીલ પાલન વગેરે પુરુષવેદ બાંધવાના કારણો છે. સ્ત્રી પુરુષ ઊભયની સ્પર્શચુંબનાદિ અનંગ સેવા, ઉગ્ન કષાય, તીવ્ર કામેચ્છા, પાખંડ વગેરે નપુંસકવેદ બાંધવાનાં કારણો છે. સુસાધુની નિંદા કરવી, ધર્મ કર્તાને વિપ્ન કરવા, અવિરતિ પુરુષોની પાસે અવિરતિની પ્રશંસા કરવી, ચારિત્રને દૂષણ આપવું,
૧૫૪