________________
©©ન્ડવિનયધર્મ ©©
વિનય ગુણને વંદન હોજો ! વિનયનું અભિનંદન હોજો ! વિનય તો શીતળ ચંદન જેવુ! વિનય તો નંદનવન જેવું !
આવા વિનયના ગુણને આત્મસાત્ કરીને આત્માર્થીજનો આત્માનુભૂતિના આકાશમાં અનંત ભણી યાત્રા આરંભે એ જ અભ્યર્થના!
સંદર્ભ : જૈન આગમ ગ્રંથો * આવશ્યક નિર્યુક્તિ/ગાથા/૧૨ ૧૭
ઉત્તરાધ્યયન/શાન્તાચાર્ય વૃત્તિ/પત્ર/૧૬ વિશેષાવશ્યક ભાષ્યગાથા) ૩૪૬૯ સુજસવેલી ભાસ/સાધુવંદના સાધુવંદના/ગાથા ૯૯ સાડા ત્રણસો ગાથાનું સ્તવન/ ઢાળ- ૧૭/ગાથા-૧૨ જ્ઞાનસાર /અષ્ટક ૧/ગાથા--૧ ગુર્જર સાહિત્ય સંગ્રહ દ્વાત્રિશત દ્વત્રિશિકા/પૃષ્ઠ-૪ (ગીતાર્થ ગંગા પ્રકાશન) સમ્યકત્વના ૬૭ બોલની સઝાય ઢાળ ૩ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન/ ૧.
4 વિનયધર્મ
| છંત શ્રી ઉદયરત્નની સઝાયમાં વિનયધર્મનું ચિંતન
- જિતેન્દ્ર મગનલાલ કામદાર સંસારમાં વસતા દરેક મનુષ્યો પોતાને ભાગે આવેલી ફરજો અને જવાબદારીઓ નિભાવતાનિભાવતા જીવનવ્યવહાર ચલાવતા હોય છે. એથી પરિવાર, પાડોશ અને સમાજમાં રોજેરોજ કેટલીય વ્યક્તિઓના સંપર્કમાં રહેવાનું બને છે. સમય જતાં એકબીજાની નજીક આવતાં પરસ્પરના વિચારો, સ્વભાવ તથા ગુણદોષોનો પરિચય થતો જાય છે. દરેક વ્યક્તિમાં કેટલાક દોષો-કષાયો હોય તો સાથેસાથે સગુણો પણ હોય છે. સદ્ગણોને જાળવવા, ટકાવી રાખવા ઘણી જાગૃતિ રાખવી પડે છે, જ્યારે દોષો- કષાયો નાનકડું નિમિત્ત મળતાં સહજમાં પ્રગટ થઈ જતા હોય છે, એ માનવસહજ સ્વભાવ છે.
વિનય છે. વિનય એક એવો ગુણ છે જેને આપણી ધર્મસાધનામાં અને આધ્યાત્મિક વિકાસમાં ઘણું મહત્ત્વ છે. જૈન આગમ સાહિત્યમાં, સંક્ત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં આપણા કેટલાય પૂર્વાચાર્યો વિદ્વાનોએ આ વિષયને ઘણી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાંના એક વિદ્વાન કવિ શ્રી ઉદયરત્નજીની અનેક રચનાઓ માંહેની એક સજઝાયનો આધાર લઈ હું મારા વિચારો આલેખું છું.
અનકે પ્રકારના ગુણોમાં વિનયગુણ અતિમહત્ત્વનું સ્થાન ધરાવે છે. જે વ્યક્તિમાં આ ગુણ પૂરેપૂરો પ્રગટી જાય તો તેની પાછળ અનેક સદ્ગુણોની સરવાણી વહેતી થાય છે, પરંતુ વિયનગુણની પ્રાપ્તિમાં સૌથી મોટું કોઈ અવરોધક બળ હોય તો તે “માન’ નામનો કષાય છે. માન-અભિમાન-ગર્વમદ-હુંપણાનો ભાવ-અહંકાર આ બધાં તેનાં વિસ્તૃત અર્ધઘટનો છે, માટે વિનયગુણની પ્રાપ્તિ અને તેનાં સુલભ પરિણામોની અનુભૂતિ પામતાં પહેલાં તેને નાથનારો એક કષાય ““માન’’ને પૂરેપૂરો સમજી લેવો જરૂરી છે.
કષાય-કષ એટલે સંસાર, આય એટલે આવક, લાભ, જેનાથી સંસાર વધતો જાય એવા જે મનના ભાવો કે પ્રવૃત્તિ તેનું નામ કષાય. સમગ્ર ભવભ્રમણનું મૂળ આ વિવિધ નામરૂપી કષાયો ક્રોધ, માન, માયા, લોભ વગેરે છે. એ કષાયોને માત કરવા માટે સગુણો કેળવવા પડે છે, જેમ કે ક્રોધને
૧૫૦ –
(અમદાવાદસ્થિત, જૈન ધર્મના અભ્યાસુ ડૉ. પૂર્ણિમાબહેન આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોડાયેલાં છે).
ક ૧૪૯
–