SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 6 4 વિનયધર્મ Peon પ્રકારનો શાસ્ત્રીય વિનય કે જેમાં અભિગ્રહ, આસનત્યાગ, અભ્યત્યાન, અંજલિગ્રહ, કૃતિકર્મ, શુશ્રુષા, પશ્ચાતગતિ અને સન્મુખગતિનાં કર્તવ્યોને ગણાવ્યા છે. આના દ્વારા ગુરુકુળવાસની પ્રાચીન ગુરુશિષ્ય પરંપરા જીવંત બને છે. ઋષિમુનિઓ પાસે રહીને જ્ઞાન સંપાદન કરતાં ઋષિકુમારોનું ચિત્રણ આપણને અનેક ગ્રંથોમાં મળે છે. મહદ્અંશે ભારતીય પરંપરાના ગુરુશિષ્ય સાનંદાન-પ્રદાનની પરંપરામાં આ કર્તવ્યો જોવા મળે છે. ખાસ કરીને શ્રમણ-શ્રમણી વર્ગમાં આજે પણ આ કર્તવ્યોનું પાલન જોવા મળે છે. જો કે વર્તમાન ભૌતિકશિક્ષણ પદ્ધતિમાં વિનય અને વિવેક બંને કાં તો ઉપેક્ષા અથવા નજરઅંદાજના શિકાર બન્યા છે. વાચિક વિનયના ૪ પાસાંઓ તો સમગ્ર વાણીવ્યવહારનું આદર્શરૂપ સજીવ બનાવી દે છે. હિત-મિત-અપરુષ અને અનુવિચિંતન, આ ચાર વાતો તો જાણે વાણીના ઘરેણારૂપ બની રહે છે. માનસ વિનયના બે પ્રકારોમાં વિલક્ષણ દૃષ્ટિકોણ દર્શાવતા ધર્મધ્યાન તરફ ગતિ અને આર્તધ્યાનથી વિરતિની વાત કરી છે જે ખરેખર રોમાંચક છે, અરિહંત, સિદ્ધ, કુલ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન અને (ગણાધિપતિ-ગણનાયક) આ તેર સાથે • આશાતના - અવહેલનાનો ત્યાગ • હૃદયપૂર્વકની ભક્તિ • અંતરંગ બહુમાન • ગુણોનું સંકીર્તન આ ચાર પ્રકારે જોડવાથી ઔપચારિક વિનય બાવન પ્રકારનો થઈ જાય છે. 18 એ વાતને સમજાવી છે સમ્યગૂ જ્ઞાનના પ્રદાતા અને સમ્ય દર્શનાદાતા ગુરુજનોની જરાસરખી અવહેલના પણ ભયંકર પરિણામ લાવનારી બને છે, એ વાત ગર્ભિત અને ગંભીર શબ્દોમાં સમજાવી છે. આચાર અને વ્યવહારમાં શૌથિલ્યનો શિકાર બનેલા પાસે પણ જો જ્ઞાનાર્જન કરવાનું હોય તો એમનામાં રહેલા જ્ઞાનનો એક લોક તમામ રીતે કરવાનો છે. એક લોકકવિએ કહ્યું પણ છે, ‘જાત ન પૂછો સાધુકી પૂછ લીજી એ જ્ઞાન મોલ કરો તલવારકા, ૫ડી રહન દો મ્યાન' * ૧૪૭ - © ©4વિનયધર્મ PC જ્ઞાનીના બહુમાનથી અંતે તો જ્ઞાનનું બહુમાન જ થાય છે! વિનયને, વિનયયુક્ત વ્યવહારને પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મ શાસનની ઉન્નતિનું કારણ બતાવ્યું છે. આ વાતને સરસ ઉદાહરણ દ્વારા સમજાવતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ધરતી ઉપરનું વૃક્ષ શું પાણી સિંચ્યા વગર વધી શકે? વિકસી શકે? બસ, એવી જ રીતે સર્વજ્ઞ શાસનનું વૃક્ષ વિનયના વારિથી સિંચાઈને જ વૃદ્ધિાંત બને છે. સમગ્ર સંસારમાં વિનયવાન જીવોને સુખ જ સુખ દેખાય છે જ્યારે અવિનીત આત્માઓને એ જ સંસારમાં દુઃખ જ દુઃખનો ભાસ થાય છે. પૂજ્યત્વ અને મોટાપણું પણ વિનયથી જ પ્રાપ્ત થાય છે. આ જ વિનય સમાધિનું કારણ બને છે. સમાધિ એ જ સંસારના એક કિનારેથી મુક્તિના અન્ય કિનારે લઈ જનાર જહાજ છે! વિનયરહિત મન સમાધિની સીડી ઉપર તો ઠીક, એના પહેલા પગથિયે પણ પહોંચી શકતું નથી. વિનયપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન જ શ્રુત અને ધર્મમાં સ્થિરતા લાવે છે. વિનય મનને આશંસાથી બચાવે છે. માત્ર એક નિર્જરાના લક્ષ્ય સુધી સાધકને આ વિનયનો ભાવ જ દોરી જાય છે ! વિનય વગર પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ અહિતની પરંપરા ઉભી કરે છે. અરે, મોક્ષમાર્ગનો લોપ કરવાનું પાપ પણ અવિનયના માથે આવે છે. વિનયના સાંનિધ્યમાં સ્વાત્માનુભૂતિની સંપદા સાંપડે છે. આમ કહીને ઉપાધ્યાયજી પ્રસ્તુત વિનય દ્વાáિશિકાનો ઉપસંહાર કરે છે. આ જ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે સમ્યક્તના સડસઠ બોલની સજઝાયમાં વિનયની વાત કરતા પાંચ ગાથાના માધ્યમથી ‘ચતુર નર, સમજો વિનય પ્રકાર, જિમ લહીએ સમક્તિ સાર !” ની વાત રસાળ અને સરળ શબ્દોમાં ગૂંથી છે. શ્રમણ ભગવાન મહાવીરના છેલ્લા ઉપદેશ તરીકે જાણીતા અને પ્રસ્થાપિત ગ્રંથ ઉત્તરાયયન સૂત્રનાં છત્રીસ અધ્યયનોમાં પ્રથમ અધ્યયન વિનય જ બતાવ્યું છે.20 જ્ઞાનની જ્યારે વાત આવે, સમ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે forશષ્ટ નવ: વિના: એ દ્રષ્ટિકોણથી જુદાજુદા માધ્યમો, જુદીજુદી દૃષ્ટિએ અને અલગઅલગ અભિગમોથી જે પ્રાપ્ત થાય તે જ્ઞાન ! ‘વિનય નમ્રતા સાથે વૈવિધ્ય” પણ છે. ૨ ૧૪૮ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy