________________
©©ન્ડ વિનયધર્મ ©© પુરુષોએ અર્થોપાર્જન કરવામાં પણ ખૂબ જ વિવેક જાળવવો જોઈએ. નીતિપૂર્વકનો વ્યવહાર એ વિનય જ છે. સાચે જ કહ્યું છે કે અહંનો વિલય એટલે વિનય
ગુણોનો હિમાલય એટલે વિનય વિરતિનું વિદ્યાલય એટલે વિનય
સિદ્ધિનું મહાલય એટલે વિનય. આપણે હંમેશાં પાશ્ચાત્ય રહેણીકરણીને વખોડતા હોઈએ છીએ, પણ વિનયની બાબતમાં મારે કહેવું પડશે કે યુરોપ-અમેરિકાના વતનીઓ આપણાથી વધુ સારા છે. લોકોપચાર વિનયમાં તો તેઓનું વર્તન ઉત્તમોત્તમ હોય તેવું લાગે છે. તેઓ નાના-મોટાનો વિવેક બહુ જ સારી રીતે કરી જાણે છે. તેમની સ્વયંશિસ્ત જ વિનયનું જાણે પ્રતિબિંબ છે. અન્યના જીવનમાં કોઈ જાતની દખલ નહિ. ટીકા-ટિપ્પણ નહિ વગેરે ગુણો વિનયની સાક્ષી પુરે છે. - જ્યારે આપણે ડગલે ને પગલે અવિવેકનું જ પ્રદર્શન કરતા હોઈએ છીએ. ઘરે કે બહાર વિવેક જાળવવાનું શીખ્યા જ નથી એવું લાગે છે. અરે ઉપાશ્રયમાં શિસ્તપૂર્વક દાખલ નથી થતા, નથી સખણા બેસતા કે નથી ત્યાં બિરાજતા સાધુ-સંતોની આમન્યા રાખતા. કમસે કમ સાધુ સમક્ષ તો વિવેક-વિનય જાળવો. વંદન-નમસ્કાર કરવા. હાથમાં સચેત-અચેત વસ્તુઓ આથી મૂકવી, ઊંચા સાદે ન બોલવું, વગેરે શિસ્તપૂર્વકનું વર્તન કરવું જોઈએ.
હકીકતમાં શ્રાવક-શ્રાવિકાઓમાં વિનયસંસ્કારના સિંચનની ખૂબ જરૂર છે. મોક્ષ તરફ પ્રયાણ કરવા માટેનું પ્રથમ પગથિયું જ વિનયધર્મ છે.
મારી ટિપ્પણીથી કોઈનું મન દુભાયું હોય તો મિચ્છામિ દુક્કડમ કરી વીરમેં છું. વિનયી ભાવથી ક્ષમા માગું છું.
@ @ વિનયધર્મ c
x શ્રીમદ શશ્ચંદ્રજીના સíહત્યમાં વિનયદર્શન
- રીના શાહ શ્રીમદ્ રાજચંદ્ર એટલે મહાન તત્ત્વજ્ઞાની, આધ્યાત્મિક યુગદેષ્ટા, જુગજુગના જોગી, પરમ જ્ઞાનાવતાર, સાક્ષાત્ સરસ્વતી, ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, અનેક મુમુક્ષુજનોના સધર્મપથદર્શક, આત્માનુભવી મહાન જ્ઞાનીપુરુષ જેમણે ફક્ત ૩૩ વર્ષની વયે તેમના વર્તમાન દેહનો ત્યાગ કર્યો હતો. તેઓશ્રીનું અત્યારે ૧૫૦મું જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે.
તેઓશ્રીએ અનેક વિષયો પર સર્વાંગસુંદર બોધ આપેલ છે. તેઓશ્રીના બોધમાં સાધના સંબંધિત કોઈ વિષય બાકી નહીં હોય. તેમાં અત્યારે આપણે તેઓશ્રીએ બોધેલ વિનયગુણ વિષે અતિસંક્ષિપ્ત વિચારણા કરીશું.
ભૂમિકા
માત્ર ૧૬ વર્ષની વયે શ્રીમદ્જીએ ‘શ્રી મોક્ષમાળા’ નામનો એક ગ્રંથ લખ્યો છે, જેમાં અલગઅલગ વિષયો પર નાનાનાના ૧૦૮ શિક્ષાપાઠ છે. તેમાંનો એક છે,
“શિક્ષાપાઠ • ૩૨ વિનય વડે તન્યની સિદ્ધિ છે''
તેમાં શ્રીમ જી પ્રથમ ચંડળનું એક દૃષ્ટાંત આપીને કહે છે કે ચંડાળ પાસેથી વિદ્યા શીખવા માટે રાજાને પણ ચંડાળનો વિનય કરવો પડે છે. ચંડાળને પોતાનું સિંહાસન આપીને પોતે ચંડાળની સામે આવીને ઊભો રહે છે, ત્યારે તેને વિદ્યા સિદ્ધ થાય છે, એમ કહીને પછી શ્રીમજી કહે છે,
કે “સવિઘાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિઘા પામવા નિગ્રંથગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય!
વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયતે ધર્મનું મુળ કહી વર્ણવ્યો છે. ગુનો, મુનિનો, વિદ્વાનનો, માતા-પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે''. | વિનયની વ્યાખ્યા
શ્રી સર્વાર્થસિદ્ધિમાં શ્રી પુજ્યપાદસ્વામી કહે છે, ‘ક્ષેત્રનો વિના:’ એટલે પૂજ્ય પુરુષો તેમ જ વસ્તુઓ પ્રત્યેનો આદર તે વિનય છે.
- ૧૦૨ -
(જૈન દર્શનના અભ્યાસુ ખીમજીભાઈ જૈન મહાસંઘના ઘડવા ધાર્મિક શિક્ષણ બોર્ડના પ્રેરકદાતા છે. તેઓ તાડદેવ જૈન સંઘ તથા મુંબઈ મહાસંઘના ટ્રસ્ટી છે).
- ૧૦૧
-