________________
©©રૂં વિનયધર્મ ©©n
ગા. ૪થી ૬માં સઝાયકારે વિનીત-અવિનીતની ખાસિયત અને ફલશ્રુતિ દર્શાવી છે. પ્રીતિ, આજ્ઞાપાલન અને વિચક્ષણતા (વિવેક) આ ત્રણ ગુણો વિનયમાં આવશ્યક છે.
(૭) શ્ર(સુ)ણિય એહ અધ્યયન વિચાર, આદરિ વિનય લઠ્ઠઈ ભવપાર; - વિનયવંત ગુણવંત જસ હી, એ જામલિ કોઈ બીજઉ નહીં
અર્થ : વિનય અધ્યયનનો વિચાર સાંભળી વિયનનું આચરણ કરી ભવસમુદ્રથી છુટકારો મેળવે છે. તે વિનયવંત અને ગુણવંત જેવો શ્રેષ્ઠ અન્ય બીજો કોઈ નથી.
મેધાવી વિનયધર્મનું સાંગોપાંગ આચરણ કરી પરમાનંદની સંપત્તિ પ્રાપ્ત કરે છે. કેમકે જેમ પૃથ્વી સર્વ પ્રાણીઓને આધારભૂત છે, તેમ વિનીત શિષ્ય પાત્ર બની સર્વ શુભ અનુષ્ઠાનો અને સગુણો માટે શરણભૂત બને છે.
સુવિનીત સદ્ગણોની સંપત્તિ પ્રાપ્ત કરે છે, એવું સમજી ઉચ્ચતમ વિનીત થવાનો પ્રયત્ન કરવો એવો કવિશ્રીનો સંદેશ છૂપાયેલો છે. (૯) હિયડઈ ધરિયઈ તેહનાં નામ, વિનયતણાં ગુણ નઉ જે કામ;
સુહગુરુ પાઈ પસાઈઈ લયલે, શ્રી પાસચદે આણંદે કહય૩ ll૮ જેઓ વિનયગુણના મુકામ (સ્થાન)રૂપ છે, તેવા આત્માઓને હૃદયમાં ધારણ કરો (સ્તવના કરો). સદ્ગુરુને પામી તેમની કૃપા મેળવી કવિ પાર્ધચંદ્ર (સૂરિ)એ ઉલ્લાસપૂર્વક સઝાય રચી છે.
શાસ્ત્રના પૃષ્ઠ પર વિનયવંત આત્માઓમાં ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીનું નામ મોખરે છે. આ ઉપરાંત મૃગાવતી સાધ્વીજી, કુરગડુમુનિ, માસતુષમુનિ, બાહુબલીમુનિ, ચંડરુદ્રાચાર્ય અને તેમનો શિષ્ય જેવા ઘણા આત્માઓ છે, જેમણે અનન્ય વિનય કરી શિવપદ પ્રાપ્ત કર્યું છે. તેમની સ્તવના કર્મનિર્જરાનું કારણ છે.
આમ, આત્મસ્વભાવ પ્રગટ કરવા વિનય એક સર્વોત્તમ ઉપાય છે. વિનય કરવો સહેલો નથી, પરંતુ વિનયનો મહિમા અચિંત્ય છે.
(જૈન દર્શનનાં વિદ્વાન ડૉ. ભાનુબહેન શાહ (સત્રા)એ શ્રાવકકવિ ઋષભદાસની રચના સુમિત્ર રાજશ્રી રાસ પર મહાનિબંધ લખી Ph.D. કર્યું છે. હસ્તલિખિત ગ્રંથોના સંશોધનકાર્યમાં ખૂબ રસ ધરાવે છે).
4 વિનયધર્મ
| Bર્ગાષ્યનો ગુરુ પ્રત્યે વિનય
• પારુલબેન ભરતકુમાર ગાંધી પ્રસ્તાવના :
મોક્ષપ્રાપ્તિનો સચોટ અને સરળ ઉપાય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. આ સૂત્ર ભગવાનની અંતિમ વાણી છે. જેમ પિતા મરણ સમયે પુત્રોને બધી વાતો સમજાવી દે છે, કાંઈ પણ રહસ્ય બાકી રાખતા નથી, તેમ ભગવાન મહાવીરે છેલ્લે અઢાર દેશના રાજાઓ અને બીજી તમામ પર્ષદામાં સતત ૧૬ પ્રહર દેશના આપી સમગ્ર મોક્ષમાર્ગનું વર્ણન કરી દીધું છે. ઝાડના મૂળ મૂજબૂત હોય તો જ ઝાડની આબાદી થાય છે તેમ આ મૂળ સૂત્રમાં મૂળનું જ સિંચન થાય છે, જેથી આત્માનો આધ્યાત્મિક વિકાસ થતો જાય છે. આત્માનો મૂળ સ્વભાવ સિદ્ધ ભગવાનના આઠ ગુણોવાળો છે, પરંતુ આ ગુણોને આઠ કર્મોએ ઢાંકી દીધા હોવાથી તે મૂળ ગુણો પ્રગટ થતાં નથી, છતાં તેનો આંશિક અનુભવ જીવમાત્રને થાય છે. આ મૂળ ગુણોને પ્રગટ કરવા માટે કઠિન પુરુષાર્થ કરવાની જરૂર રહેલી છે. આ પુરુષાર્થ, સાધના-આરાધના કર્મોને ખપાવવા માટે કરવાનાં છે. આનો પ્રથમ ઉપાય વિનય છે, જેની ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનથી જ શરૂઆત થાય છે.
વિનય શબ્દનો અર્થ તથા વિનય એટલે શું ? વિનયના પ્રકાર :
વિનય એ આચારનો કે શ્રમણાચારનો પાયો છે અને મુક્તિનું પ્રથમ ચરણ છે. તે ધર્મનું મૂળ અને આત્યંતર તપ છે. વિનયરૂપી મૂળના સિંચનથી સમ્યમ્ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપી પુષ્પો ખીલે છે અને અંતે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે.
જૈનાગમોમાં વિનયનો અર્થ કેવળ નમ્રતા જ નથી. નમ્રભાવ વિનયનો એક શાબ્દિક અર્થ છે. ખરેખર વિનયનું સ્વરૂપ વ્યાપક છે. તે અનુસાર વિનય એટલે વિશિષ્ટ નીતિ, વિશિષ્ટ કર્તવ્ય. જૈન ધર્મ વિનયપ્રધાન ધર્મ છે.
ધમણ વિનડેમપૂરું (૯/૨૩)
સંસારમાં અન્ય ધર્મો શુચિમમૂલક હોય છે, જ્યારે જૈન ધર્મનું મૂળ વિનય છે. જ્ઞાતા સૂત્રમાં સુદર્શને થાવર્ગાપુત્રને પ્રશ્ન પૂછયો કે આપના ધર્મનું મૂળ શું છે ? ઉત્તરમાં થાવચપુત્રે જવાબ આપ્યો કે ધર્મનું મૂળ વિનય છે અને તે બે પ્રકારનો છે.
છે ૮ ૦