SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગમઢા-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે તે વખતે જે સાધુને રિવાજ. સાધુમાં રાત્રિભોજનની બંધી છે, ચારિત્ર લેનારાએ ભલે ગમે તે કારણે લીધું હોય પણ સાધુપણામાં કેમ વર્તવું પડે? તે વખતે ચાલતી રીતિએ વર્તવું પડે. જે સમુદાયમાં દીક્ષિત થાય તેમની રીતિએ વર્તવું પડે. કેવળજ્ઞાનીના વખતમાં તેણે દ્રવ્યથી સાધુ થાય તેને પણ કેમ વર્તવુ પડે? એ લાનમાં જ વર્તવું પડે. દ્રવ્યથી થએલે સાધુ બોલવામાં લાયકીથીજ એલ. દ્રવ્ય ચારિત્રને વર્તાવ કાળાનુસાર કરવો જ પડે. વિચારો, આજની રીતિએ મહાવ્રતની આરપારન સ્થૂળરેખા ભાવ વાળાને કે ભાવવાળાને ચલાવવી પડે છે. આજ કાલ બકુશકુશીલ મહાવ્રત છે. જે વખતે ઊંચી રેખાનું ચારિત્ર હોય તે વખતે વગર ભાવે પણ કેમ ચાલવું પડે? કર્મક્ષયના મોક્ષના મુદાથી ચારિત્ર ન લીધું હોય અને એક દેવકાદિની ઇચ્છાથી લીધું હોય તે વર્તવું શી રીતે પડે? ઝવેરીની ટેળીમાં બેઠેલાએ ભાવે કે કભાવે ઝવેરીની લાઈન રાખવી પડે છે. ગરાસીયાઓ ઘરમાં રામ ઉકાળી ખાતા હોય તે ઘી ખાધું છે એમ જણાવવા માટે. દીવેલ લગાવી પણ નીકળવું પડે. બેઠકની શોભા ખાતર ઘેર ઘેંસ-રાબ ખાતા હોય તે પણ દીવેલ લગાડી નીકળવું પડે. જે ક્ષપક શ્રેણિ–ઉપશમ શ્રેણિ કેવળી વિગેરેની લાઈનમાં દ્રવ્યથી બેસવું હોય તો કઈ લાઈને બેસવું પડે? કહે ચારિત્રની વધારેમાં વધારે સ્થિતિ-દેશન કોડ પૂરવ સુધી. આટલા કાળ સુધી જ્ઞાનની ભૂમિકામાં રહેલે વીતરાગના જેગથી ચારિત્ર લે તે પ્રમાણે જ વર્તાવ કરે. જ્યારે અનંતા કાળ હોવાથી અનંતા સંજોગ માનવા પડે તે, અનંતી વખત વીતરાગ જેવું ચારિત્ર પાળવું પડયું. અભવ્ય છ નવે તત્વની આબેહુબ પ્રરૂપણ કરે છે. જ્ઞાન ને વિજ્ઞાનની ભૂમિકામાં પ્રરૂપણમાં ભેદ નથી. જ્ઞાનવાળો વિજ્ઞાનનાળા જેવી જે પ્રરૂપણું કરે, વર્ણનમાં બનને શબ્દ સરખા છે. લગીર કાળજાને પૂછીએ. આકાશ જમીનને ફેર. કાળજે ધકકો નથી. વિજ્ઞાનભૂમિકામાં આશ્રવનું સવારૂપ નિરૂપણ કરે તે વખતે કાળજે ધકક જોઈએ. માને છેક પિતાના ઘરની ચેરીની હકીકત બીજાને કહે છે, છતાં એ કઈ ભૂમિકામાં છે? કેવળ માત્ર જ્ઞાનભૂમિકામાં. હજુ વિજ્ઞાનભૂમિકામાં આવ્યા નથી. અહીં વાત કરે છે, વાતમાં ભમરડો મળે તે રમવા ૦ળગી જાય છે. તમે ઊંઘી ન શકો, ખાઈન શકે, તેની દષ્ટિ ભમરડા ઉપર તરત ગઈ.
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy