________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ ૨
૨૦૩ ચારિત્રપ્રાપ્તિનો વિવિધ કમ
હવે તે એકડે એકથી શીખવવું જોઈએ. પહેલા ભવનું ચારિત્ર અહીં આવી શકતું નથી, માટે પહેલેથી શરૂઆત કરવી જોઈએ. પહેલાં અવિરતિ, પછી દેશવિરતિ પછી સર્વવિરતિ અનુક્રમે આવવી જોઈએ કેમ? તેમાં પ્રથમ અણુવ્રત પછી બીજું ત્રીજું એમ આવવું જોઈએ ને? ભગવાનના કેઈક શ્રાવકે બાર વ્રત સાથે પામ્યા છે તે તે એકડે કક્કો ન કહેવાય? પહેલા વ્રતમાં તારા હિસાબે એક કરણ ને એક જોગ જોઈએ. શ્રાવક છ કેટિએ પચ્ચક્ખાણ કરે છે, તે પણ ન હોવાં જોઈએ. પહેલાં એક કોટિનાં પછી બે કેટિનાં એમ આગળ વધે. એમ રાખે. માટે સામાયિકને ન પાઠ કલપી નાખે એકવિ એકવિહેણ ન કરેમિ પછી એકવિતું દુવિહેણું માં આવે. એમ એકડાથી ભણવું જોઈએ. તે આવડે તે પણ એકડો ઘૂંટ કે ન આવડે તે એકડો ઘૂંટ એમાંથી ક નિયમ લે છે? જ્ઞાનદર્શન પહેલા ભવથી આવે છે પછી સામાયિક પ્રાપ્ત થાય છે. પહેલા ભવનું જ્ઞાનદર્શન આવતું હોવાથી એમાં અનુક્રમની જરૂર નથી પણ ચારિત્ર પહેલા ભવનું સાથે નથી આવતું તે શાસ્ત્રનું વચન તારે માન્ય છે તેમ બીજા વચને માન્ય છે કે નહિ? જુવં જ તમન્ન દેશ-સર્વવિરતિની સાથે પણ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે. અને તેથી સમ્યકૃત્વને અંગે ચારિત્રમાર્ગથાને વિચાર કરીએ તે પ્રતિપન્નમાન હેય કે પ્રતિપન્ન પણ હોય. સમ્યકત્વ સાથે જ ચારિત્ર ન આવી જતું હોય તે, ચારિત્ર લેતા હોય તે વખતે પણ સમ્યકત્વ પામે છે. શાસ્ત્રકારોએ યુગપત્ પ્રતિપત્તિ જણાવી છે. સમ્યકત્વ અને ચારિત્રની યુગપત્ પ્રતિપત્તિ જણાવી છે તે એકડાને કક્કાને નિયમ રહ્યો નહિં. ચારિત્રની સાથે પણ સમ્યકત્વની પ્રતિપતિ હેય. આ ન માનીએ તે તીર્થંકરના બધા ગણધરને પહેલાથી સમ્યકત્વ દેશવિરતિવાળા માનવા પડશે. સ્વભાવ નહિં. સ્વભાવ હોય તે સમ્યફ વગર ચારિત્ર બનતું નથી. તેમ અહીં સ્વભાવજ એવે છે તે તીર્થંકર મહારાજા સ્વભાવ પલટત નહીં. પહેલાં સમ્યકત્વ પછી દેશવિરતિ ને પછી સર્વવિરતિ અનુક્રમે આવતે. બધા દ્વાદશત્રતધારી શ્રાવકેનું શું થવાનું? આ તે વિધિનું નિરૂપણ છે. ચારિત્રની સાથે યુગપત્ સમ્યકત્વની ઉત્પત્તિ હેય. અથવા પહેલાં પણ સમ્યવની ઉત્પત્તિ હાય હવે શાસ્ત્રની વાત કર્યા પછી યુક્તિમાં આવીએ.