SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે એને અંગે માનીએ છીએ, નહિંતર વિપાકક્ષમાને લૌકિકમાં ગણત નહીં. વચન ક્ષમા અને ધર્મ ક્ષમા એ લેકોત્તર ક્ષમા ગણીએ છીએ. ધર્મક્ષમા વચનથી જુદી કેમ ગણી? વચનક્ષમ અને ધર્મક્ષમા બે જુદી કેમ? વચન તીથર્કરના વચનને અનુસરી જે ક્ષમા કરવામાં આવે તે વચન ક્ષમા. ધર્મક્ષમામાં તીર્થંકરના વચન નથી આવતા? માટે કબૂલ કરે, કાંતે ધમેક્ષમાં વચનક્ષમા બહાર છે. નહીંતર ચાર પ્રકારની ક્ષમા કહે, ધર્મક્ષમાં નામનો પાંચમો ભેદ ન કહે, નહીંતર વચનની બહાર કંઈક ચીજ છે. વળી ઉત્તમ છે. વચન બહાર અને પાછી ઉત્તમ ક્ષમા. કહે, વચન સિવાયની એક ધર્મ વસ્તુ રહેલી છે. તેને અંગે ધર્મક્ષમાં માને છે. વાત ખરી પણ કુંભારને ત્યાં ગયે છે કઈ દિવસ જે ગયે હઈશ તે કુંભાર દંડથી ચક્રને ઘુમાવે છે. ઘુમાવીને એવે વેગ કરે કે પછી દંડ ફેંકી દે તે પણ ચક્કર ઘુમ્યા કરે છે. પછી ઘુમે છે એમાં દંડ નથી પણ ઘુમ્યા કરે છે. જેમ દંડ વગર, દડે આપેલા વેગથી ચક્કર ભમ્યા કરે છે, તેમ વચનને ધારણ કરી જે અનુષ્ઠાન કર્યા તેમાં એવી તીવ્ર પ્રવૃત્તિ થાય કે વચન યાદ કર્યા વગર તેજ પ્રવૃત્તિ થાય. દાદર ન થયો ત્યારે જોઈને ચાલશે ને પછી ટેવ પડી ત્યારે સરરર ચડી ઉતરી જશે, ટેવાઈ ગયે. તેમ વચનને લક્ષ્યમાં લઈ જ્યારે પ્રવૃત્તિ થાય ત્યારે વચન ક્ષમા અને વચનને યાદ કર્યા વગર ટેવથી ધર્મ એ થઈ ગયે ત્યારે ધર્મમાં ક્ષમામાં ઉતરી પડે તે ધર્મક્ષમા. આથી વચન અનુષ્ઠાન બને અનુસંગ અનુષ્ઠાન માનીએ છીએ. અસંગઅનુષ્ઠાન વચન અનુષ્ઠાનથી આવેલું માનીએ છીએ. ધર્મક્ષમા વચન વગર થાય છે, તેમ કહી શકાય નહિં. દંડ વગર વેગ થયે નથી, વચન વગર અસંગ અનુષ્ઠાન થતું નથી. કમ એ ભલે હોય, પણ કારણની હૈયાતીને કારણની બીન હૈયાતી હોવાથી બે જુદા પડે છે. આથી વચન અને ધર્મક્ષમા બે જુદી પાડી. શાસ્ત્રગ એ તે માત્ર હાથે કરીને ગતિ કરવા જેવું છે. અપંગને હાથ દઈ દઇ ચાલવાનું છે, શાસ્ત્ર હાથ દઈને ચાલવાનું છે. ભગવાન ગૌતમસ્વામી બારસંગ ને ચોદ પૂર્વની રચના કરનારા તેમને મેક્ષ અળખામણા લાગ્યા, કેવળજ્ઞાનના તથા મોક્ષનાં જે કારણે મેલ્યા છે. તેથી નીકળી જવું હતું? શાસ્ત્રકારનું પિતાનું પણ સર્વાપણું તે વખત ન થયું તે બહારની અવસ્થા વિચિત્ર માનવી પડશે, કે જે શાસ્ત્ર
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy