________________
બોધપાઠ-૩૫
0 આત્મભાવના-૯ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“આત્મા સો પરમાત્મા” આ સુત્ર પ્રચલિત છે. આત્મા એજ પરમાત્મા છે તે વચનનો મર્મ સમજવો જરૂરી છે. જો એકાંતે આત્મા જ પરમાત્મા માનવામાં આવે તો પછી પરમાત્મા એવો શબ્દ પ્રયોગ શા માટે ?
આત્મા અને પરમાત્માનું દ્રવ્ય એક જ છે, તત્ત્વથી એક જ છે, પરંતુ અવસ્થા ભેદ છે. જીવાત્માને જન્મ-મરણ, ચાર ગતિમાં પરિભ્રમણ છે, દેહનો સંયોગ છે અને દેહમાં થતી રોગાદિ અવસ્થાનું વેદન અનુભવે છે. પરમાત્માને જન્મ, મરણ, પરિભ્રમણ, દેહ વગેરે નથી. આમ છતાં “આત્મા એ જ પરમાત્મા” કહેવાનું પ્રયોજન એ છે કે જે જીવાત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે તે જ આત્મા પરમાત્મા થાય છે. પરમાત્મા કોઈ અન્ય દ્રવ્યથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, પણ આત્માની જ એક અવસ્થા છે – પરમ શુદ્ધ અવસ્થા છે.
જ્ઞાની ભગવંતો આત્માની ભિન્ન-ભિન્ન અવસ્થા બતાવતા કહે છે કે,
હાઇakી પ્રજ્ઞાબીજ •96 28689