________________
પ્રત્યે ઉદાસીન થતા ગયા. પરિણામે વૈરાગ્ય દૃઢ થતો રહ્યો અને વીતરાગતા પ્રગટ કરી, કૈવલ્ય દશા પામીને સિદ્ધ પદમાં સ્થિત થયા.
આ ઉપરનું સુત્ર એ વાત સ્પષ્ટ કરે છે કે સર્વપ્રથમ જગતમાં કંઈ જાણવા જેવું હોય તો તે આત્મા નામનો પદાર્થ છે, જે પોતાનું જ સ્વરૂપ છે. વિશેષમાં આત્માને જન્મ, જરા, મૃત્યુ નથી, નિત્ય-શાશ્વત તેનું હોવાપણું (અસ્તિત્વ) છે. આવું અસ્તિત્વ કોઈ જડ કે ચેતન, અન્ય પદાર્થોનાં કારણે નથી જેથી અસ્તિત્વને ટકાવવા માટે કોઈ જ અન્ય પદાર્થોની આવશ્યકતા નથી તેમ જ તેના નિત્યત્વ કે મોક્ષ માટે પણ કોઈ અન્ય પદાર્થનો આધાર લેવાની જરૂર નથી.
આમ, જીવાત્મા આત્મા અર્થાત્ સ્વ-સ્વરૂપને જાણી લે, તો પછી બીજું કિંઈ જાણવું જરૂરી નથી, તે અપેક્ષાએ જાણવા યોગ્ય બધું જ જણાયું છે તે આ સુત્રથી સમજાય છે.
ની&િઇટને પ્રશાબીજ 95 base