________________
બોધપાઠ-૩૪
૦ આત્મભાવના-૮ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.” આવું નિગ્રંથ પ્રવચન છે. માનવજીવે આત્મભાવનાનું આ સ્વરૂપ વિચારવું જરૂરી છે.
જગતમાં અનંતા જીવો છે અને અનંતા પદાર્થો છે. વળી પ્રત્યેક પદાર્થની, સમયે-સમયે પલટાતી અનંતી પર્યાય (અવસ્થા છે). જીવાત્મા કે જે બોધ પામ્યો નથી, તે કેવળ પદાર્થોની પર્યાયનો પરિચય પામીને તે પર્યાયને પદાર્થ માનવાની ભૂલ કરતો રહ્યો છે. આ દશા જીવની અનાદિની છે. જે જીવ બોધ પામે છે તે મૂળભુત પદાર્થનું સ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરે, જાણીને સ્વિકાર કરે છે, શ્રદ્ધા કરે છે, નિશ્ચય કરે છે, પરંતુ આવા જીવો બહું જ થોડા હોય છે. આવા જીવોને જ્ઞાની, સત્પુરુષ કહે છે. આવા જ્ઞાનીએ મુખ્યતાએ આત્માની શુદ્ધ, સહજ અને સ્વાભાવિક અવસ્થા જાણવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો, પરિચય કર્યો, શ્રદ્ધા કરી અને આત્મા કહેતા તે પોતાનું જ સસ્વરૂપ છે તે વાત સ્વિકારીને પોતે આત્માકાર આત્મારૂપ થતા ગયા. સાથોસાથે દેહાદિ પદાર્થો
ઇAિZA પ્રશાબીજ • 94 backઇ8િ