________________
યોગ કોઈ પ્રકારે થતો નથી. જેમ કે સિદ્ધ પરમાત્મા, સર્વ કર્મ રહિત તેમની દશા છે, જેથી જન્મ, તેમને નથી અને મૃત્યુ પણ તેમને નથી. આ સર્વથા મોક્ષ અવસ્થા છે. આમ વિચારતા નિર્ણય કરવો ઘટે છે કે મૃત્યુનો વિચાર ન કરતા, જન્મને ટાળવાનો ઉપાય વિચારવો જરૂરી છે.
ભક્ત પ્રહલાદનાં પિતા, રાજા હિરણ્યકશ્યપ મૃત્યુના ભયને કારણે ભારે તપ-સાધના કરી ભગવાનને પ્રસન્ન કરી મૃત્યુથી બચવાનું વરદાન માંગે છે. ભગવાન પણ તેવું વરદાન આપવા અસમર્થ છે, ત્યારે યુક્તિપૂર્વક મૃત્યુનાં જે કારણો (નિમિત્ત કારણો) તેના લક્ષમાં હતા તે બધાથી ન મરાય તેનું માંગે છે અને ભગવાન વરદાન આપે છે. પરંતુ તે મૃત્યુથી બચતો નથી. આ કથાનકથી સ્પષ્ટ થાય છે કે જેનો જન્મ છે તે મૃત્યુથી બચી શકે જ નહીં. જન્મથી જ બચવું રહ્યું.
જન્મનું કારણ સ્વકર્મ છે તેમ જાણીને કર્મ બંધથી બચવું જરૂરી છે અને તે માટે કર્મબંધનું કારણ તે રાગ-દ્વેષ-અજ્ઞાન છે તે વાતનો સ્વિકાર કરી ને તે કારણોથી મુક્ત થવાથી બધો ભય ટળી જાય છે. આત્માસર્વથા મુક્ત થાય છે-મોક્ષ પામે છે.
ની&િઇટને પ્રશાબીજ 93 base