________________
(૧) બહિરાત્મા, (૨) અંતરઆત્મા અને (૩) પરમાત્મા. જગતનાં જડ-ચેતન પદાર્થો સાથે વ્યવહાર કરતો અને રાગ-દ્વેષ-કષાયો વગેરે કરતો આત્મા બહિરાત્મા છે. જગત અને જગતનાં સાંયોગિક જડ-ચેતન પદાર્થો જેને અસાર લાગે છે, બંધનરૂપ જાણે છે, તેવો આત્મા અંતર સંશોધનરૂપ આત્મવિચાર, ચિંતન, મનન કરતો થાય છે, તે અંતરાત્મ અવસ્થા છે અને આવો અંતરાત્મા, આત્મકલ્યાણનો મોક્ષમાર્ગ યથાર્થ પ્રકારે જાણી, સમજીને આરાધતો થાય છે. જગતનાં સંયોગી પદાર્થો પ્રત્યે અત્યંત ઉદાસીન થઈ કેવળ નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે છે, અસંગ થાય છે, સ્વ-સ્વરૂપમાં મગ્ન થાય છે, લીન થાય છે અને જગતને કેવળ જ્ઞાતા-દ્રષ્ટાભાવે જોતો-જાણતો રહે છે. પૂર્વ કર્મને સમતાભાવે વેદીને નિવૃત્ત થાય છે. સર્વકર્મથી મુક્ત થઈને એજ આત્મા જીવાત્મા પરમાત્મા થાય છે. સિદ્ધ થાય છે. આમ આત્મા જ પરમાત્મા થાય છે.
ની&િઇટને પ્રશાબીજ 97 base