________________
મોક્ષમાર્ગમાં અતિવેગે પુરુષાર્થ કરતો થાય છે, જીવનમુક્ત થાય છે. આ જેવી તેવી સિદ્ધિ નથી જ.
બાળકને સર્વ પ્રથમ શાળામાં મુકવામાં આવે છે ત્યારે રડે છે, ગમતું નથી, પરંતુ આગળ જતા તેજ શાળા ગમવા લાગે છે, અભ્યાસ કરે છે, વિદ્વાન બને છે, એવું જ સાધકને પણ શરૂ-શરૂમાં અંતર્મુખ થવાનું કઠણ, લાગે છે, મન માનતું નથી, પરંતુ દીર્ઘકાળનાં અભ્યાસથી સહજ થઈ જાય છે, અને પરમ કલ્યાણ કરી મોક્ષનો અધિકારી બને છે.
અનાદિનાં સંસ્કારનાં કારણે જીવાત્મા મનને વશ થઈ વર્તે છે, પરંતુ સાધકે તો મનને વશમાં રાખવાની કળા શીખવાનું છે. એક વાર મન વશ થયું તો પછી કોઈ પણ કાર્ય સહજ થઈ જાય છે. મન સાથે સમાધાન કરતા રહેવાનો અભ્યાસ સતત કરતા રહેવું જરૂરી છે. ફરી સ્મરણ થાય છે, મન હોય તો મોક્ષે જવાય.” સાચા મુમુક્ષને મોક્ષ સિવાય બીજો લક્ષ જ ન હોય.
ઇAિZA પ્રશાબીજ - 89 bookઇ8િ