________________
બોધપાઠ-૩૨
0 આત્મભાવના-૬ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
હેપી (કર્ણાટક) આશ્રમનાં આદ્ય સ્થાપક યુગપ્રધાન પૂ. શ્રી સહજાનંદઘને સ્વામી (ભદ્રમૂનિ) આત્મભાવના ભાવતા લખે છે કે :
ઓછામાં ઓછું એટલું તો ભાન રહેવું જ જોઈએ કે હું શરીર નથી, પણ શરીરની અંદર અને શરીરથી જુદો આત્મા છું. જે પ્રકારે વિજળીનો બલ્બ અને તેમાં રહેલો પ્રકાશ બન્ને ભિન્ન છે તે પ્રકારે શરીર અને તેમાં રહેલો આત્મા જુદા જ છે. આત્મા સ્ત્રી કે પુરુષ નથી, નાનો કે મોટો નથી, તે ઉંચા કે નીચ નથી, સદા એક સરખો, અકૃત્રિમ અને જ્ઞાનની જ મૂર્તિ છે. હું પરમાત્મા જેવો જ છું. મારામાં અને પરમાત્મામાં કેવળ અવસ્થા ભેદ છે. હું શરીર જેલમાં રહેલો કેદી છું અને ભગવાન શરીરથી મુક્ત છે. મારે પણ એ જેલથી છુટવાનો પુરુષાર્થ કરવો જોઈએ, એમાં જ પોતાનું હિત છે.”
આવી આત્મભાવનાં ભાવતા ભેદ જ્ઞાન સરળતાથી થઈ શકે છે અને ભ્રાંતિ રહેતી નથી. અનંત કાળથી જીવને પરિભ્રમણનું કારણ ભ્રાંતિ છે, જે
ઇAિZA પ્રશાબીજ 90 bookઇ8િ