________________
બોધપાઠ-૩૧
છે. આત્મભાવના-૫ 0
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પૂજ્ય કાનજી સ્વામીનાં આજ્ઞાનુંવર્તિ પૂ. ચંપાબહેન આગવી શૈલીથી આત્મભાવના વ્યક્ત કરતા લખે છે કે : “હે જીવ, તને ક્યાંય ગમતું ન હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ, આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.”
જ્ઞાનીઓ એ એકાંતે સંસારને કેવળ કલેશમય જાણ્યો છે અને કહ્યો છે. આવા સંસારમાં જીવાત્માને શાતા કેમ રહે? અને સંસાર તો પૂર્વકર્મના ફળરૂપે વેદવો જ પડે છે, ભાગી છુટાતું નથી જ, ત્યારે જીવે શું કરવું તેનો ઉપાય ઉપરનાં કથનમાં સમાયેલો છે. જીવ પોતાનાં સ્વરૂપને જાણે, માને, શ્રદ્ધે અને અંતર્મુખ થવાનો અભ્યાસ કરે તો સ્ત્ર આત્માની આનંદમય અવસ્થાનું ભાન થઈ શકે છે. આવું ભાન જેને એક વાર થાય છે તે પછી બીજા સર્વ જડ-ચેતન પદાર્થો પ્રત્યે ઉદાસીન થાય છે, વૈરાગ્ય થઈ આવે છે અને પરિણામે
ઇAિZA પ્રશાબીજ - 88 backઇ8િ