________________
બોધપાઠ-૩૦
૦ આત્મભાવના-૪ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મહાત્મા શંકરાચાર્યજીએ કહ્યું છે, “બ્રહ્મસત્ય, જગત મિથ્યા,” આ. વચન પણ બ્રહ્મ કહેતા આત્માનો લક્ષ કરાવે છે. સત્ય તેને કહેવાય જે ત્રણે કાળમાં સત્વરૂપ છે, શાશ્વત છે. પ્રત્યેક આત્માનું સ્વરૂપ આવું જ છે. શાશ્વત છે, અજન્મા છે, અજર-અમર છે અને આપણું જ સ્વરૂપ છે, કોઈ અન્યની વાત નથી. આવા શુદ્ધ આત્માને બ્રહ્મ કહેવામાં આવે છે અને તેનો લક્ષ થવા માટે જગતને મિથ્યા કહ્યું છે, સ્વ આત્મ સિવાય કોઈ જ પર પદાર્થ, સ્વઆત્માને ઉપકારી નથી બલ્ક ઘણું ખરું કર્મબંધનનું નિમિત્ત કારણ હોય છે, માટે ત્યાજ્ય છે. વૈરાગ્યભાવ સાથે આત્મભાવના ભાવતા આ રહસ્ય સ્પષ્ટ થતું જાય છે.
જૈનો જેને શુદ્ધાત્મા કહે છે તેને વેદાંત બ્રહ્મ કહે છે. બ્રહ્મ એ આપણો જ શુદ્ધાત્મા છે, જેમાં કોઈ વિકારી ભાવ નથી, કષાય નથી, રાગ-દ્વેષ નથી એવો શુદ્ધાત્મા તે બ્રહ્મ છે. આવા શુદ્ધાત્માનો ઉપાશક બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કુળ-જાતિ તો સમાજ વ્યવસ્થાનું અંગ છે. પરમાર્થથી તો બ્રહ્મનો ઉપાશક જ
Alaus euolex 85 BRERA