________________
મોટાભાગે ધર્મક્રિયા દેખાદેખી, લોકસંજ્ઞાએ, અહંને પોષવા અને ધાર્મિક કહેવડાવવાની ઇચ્છાએ થાય છે. આજ ક્રિયા આત્મ લક્ષથી થાય તો કલ્યાણ. જ કલ્યાણ છે. ભક્તકવિ અખાજીએ પણ આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે,
તિલક કરતા ત્રેપન ગયા, જપમાળાનાં નાકા ગયા” અને
“એક મુરખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ; તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન.”
“અખા તોય ન આવ્યું આત્મ જ્ઞાન” (બહ્મ જ્ઞાન) ભક્ત કવિત્રી મીરાબાઈ લખે છેમારો હંસલો (આત્મા)નાનો ને દેવળ(દેહ) જુનુ રે થયું”
ઊડી ગયો હંસો, દેવળ પડી રે રહ્યું.” આમ કોઈ પણ ધર્મક્રિયા આત્મભાન સાથે, પૂર્ણજાગૃત દશામાં થાય તો જ સફળ છે એમ સમજીને આત્મભાવના ભાવતા-ભાવતા આત્મ સાક્ષાત્કાર, આત્મ અનૂભુતિ થઈ શકે છે તેમ સમજાય છે.
ઇAિZA પ્રશાબીજ - 84 backઇ8િ