________________
બોધપાઠ-૨૯
0 આત્મભાવના-૩ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જ્યાં લગી આતમાં, તત્ત્વ ચિન્હો નહીં;
ત્યાં લગી સાધના, સર્વ જુહી.” ભક્ત કવિશ્રી નરસિંહ મહેતાની આ પંક્તિઓ યથાર્થ આત્મભાવનાનો મર્મ વ્યક્ત કરે છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ જેનાં લક્ષમાં નથી એવા મોટાભાગનાં મનુષ્યો જપ, તપ, વ્રત, નિયમ, સ્વાધ્યાય, સેવા, પૂજા, દાન, પુણ્ય, ભક્તિ, કીર્તન, તીર્થયાત્રા આદિ અનેક સાધનો સેવતા જોવા મળે છે અને તેમાં ધર્મ કર્યાનો સંતોષ માની લે છે. આવા કહેવાતા ધાર્મિક લોકોને સાચી દિશાનું દર્શન આ પંક્તિઓથી થઈ શકે છે. બાહ્ય ધર્મ પ્રવૃત્તિ દરેક મત-સંપ્રદાયમાં થતી જોવાય છે તે પ્રવૃત્તિ યોગ્ય પણ છે. પરંતુ લક્ષ નિશ્ચિત થયા વિના ઉપકારી નથી. આત્માનાં કલ્યાણનો લક્ષ રાખી, સદ્ગુરુ કે સશાસ્ત્રની આજ્ઞા એ તેમ જ હૃદયની આર્દ્રતા સાથે લય-લીન થઈને બધી જ ક્રિયા કર્યાનું સફળ પણું છે તે સમજવાનું જરૂરી છે.
BACAU, Loucnx • 83 BRERA