________________
બોધપાઠ-૨૮
૦ આત્મભાવના-૨ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આત્મભાવના”નું અવતરણ થયું તે પ્રસંગ પણ પ્રેરક છે, તે વિચારવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી મુંબઈની પોતાની પેઢી ઉપર પૂ. શ્રી લલ્લુજીમુનિલઘુરાજ સ્વામિ)ને સત્સમાગમ આપતા હતા. કેટલાક દિવસથી આ ક્રમ ચાલતો હતો. એક દિવસ સત્સંગ પૂરો થતા પૂ. મુનિશ્રી ઉપાશ્રય જવા પેઢી ઉપરથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે શ્રીમદ્જીએ બુમ મારીને તેમને પાછા બોલાવ્યા અને જે ગ્રંથ ઉપર સત્સંગ થઈ રહ્યો હતો તે માંગીને તેના ઉપર સ્વહસ્તે આ પ્રકારે લખ્યું, “આત્મભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.” આમ લખીને મુનિશ્રીને ગ્રંથ પાછો આપ્યો. મુનિશ્રી અતિ પ્રસન્ન થયા કેમ કે જ્ઞાનીનાં સ્વહસ્તે (હાથોહાથ) મંત્ર દાન થયું હતું તેને મહાભાગ્ય માન્યુ હતું.
મુનિશ્રીએ જીવન પર્યત આ મહામંત્રને આત્મસાત કરી આત્મભાવમાં રહ્યા. સમક્તિ પ્રાપ્ત કરી, નિગ્રંથ દશા પ્રાપ્ત કરી સાચા વીતરાગનાં સાધુ. થઈ આત્મકલ્યાણ કરી ગયા.
BACAU, Loucnx • 81 BRERA