________________
બોધપાઠ-૨૭
છેઆત્મભાવના-૧ 0
ನನನನನನನನನನನನನನನನನನನ
હે આત્મન, તેં યથાર્થ માનવપણું પ્રાપ્ત થવા માટે મૈત્રી આદી ચાર ભાવના વિચારી. માનવ-માનવ વચ્ચેનાં સદ્વ્યવહાર માટે પણ આ ચારભાવના અગત્યની છે અને મનુષ્ય સદાચારી બનીને પોતાની યોગ્યતા પામે છે. આવો સદાચારી માનવજીવ ધર્મ માર્ગમાં પ્રવૃત્ત થવા માટે વૈરાગ્ય આદિ બારભાવના ચિતવતો રહીને ધર્મ-માર્ગની પ્રાપ્તિ અને પુરુષાર્થ કરી શકે છે, ત્યાગ-વૈરાગ્યમય જીવન વ્યતિત કરી શકે છે. આમ સારી એવી યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જેનો લક્ષ કેવળ મોક્ષ છે અને જન્મ-મરણથી સર્વથા મુક્ત થવું છે તેને હજી આગળ વધી વીતરાગતાની સાધના કરવાની છે. સર્વ તીર્થકરો-કેવળીઓ વીતરાગી થઈને કેવળજ્ઞાન લઈને જ મોક્ષે સિધાવ્યા છે.
વીતરાગતા પ્રાપ્ત થવા માટે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ એક વધુ ભાવના ચિંતવવાની ભલામણ કરે છે. એ છે “આત્મ ભાવના.” ચાર અને બારભાવના ઘણું કરી પરંપરાને અનુસરી થતી જોવાય છે, પરંતુ તેમાં સ્પષ્ટ
ની&િઇટને પ્રશાબીજ •78 base