________________
વૈરાગ્ય દૃઢ થતા સર્વસંગ પરિત્યાગની ઇચ્છા જાગે છે. ઘર, સંસાર, પરિવાર, સંપત્તિ, સત્તા વગેરે પ્રત્યેની તેની આસક્તિ છૂટતી જાય છે. આત્મકલ્યાણની ભાવના વધતી જાય છે. પરિણામે દીક્ષિત થઈ એકાંત સાધનાસ્વસ્વરૂપ ચિંતવના, કર્મબંધથી બચીને થતો દેહ ધર્મ કરતો થાય છે. શાસ્ત્ર અભ્યાસ કરી ધર્મનાં સાચા મર્મને પામીને પૂર્ણ વીતરાગપદને ભાવતો થાય
સંસારી જીવો પ્રાયે રાગી હોય છે, કોઈ પુત્યયોગે ત્યાગી બને છે, તેમાંથી કોઈ વૈરાગ્ય ભાવમાં આવીને સર્વસંગ પરિત્યાગ કરે છે, આમાંથી કોઈ વિરલા જ વીતરાગ ભાવના ભાવતા-ભાવતા વીતરાગતા પામીને કેવળજ્ઞાન દશા પ્રાપ્ત કરી પૂર્ણ મોક્ષ પદનો અધિકારી બને છે.
વૈરાગ્યભાવ થવામાં બારભાવના ઉપકારી છે જ પરંતુ વીતરાગતા પ્રાપ્ત થવામાં આત્મભાવના વિશેષ ઉપકારી છે, તો હવે પછી આત્મભાવનાનું સ્વરૂપ વિચારીશું.
Alaus Leuolx # 77 BRORURE