________________
બોધપાઠ-૨૬
0 બારભાવનાનો પરમાર્થ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જે માનવજીવો ચાર ભાવના મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાથી ભાવિત થઈને યોગ્યતા પામ્યા છે, તેમને માટે ધર્મનાં માર્ગમાં પ્રવર્તન કરવા માટે વૈરાગ્યનાં કારણરૂપ બારભાવના ચિંતવવાનું જરૂરી છે. આ બારભાવનાથી માનવજીવો સંસાર, કર્મ, પરિભ્રમણ, મમત્વ, અહંભાવ વગેરેનું સ્વરૂપ સમજીને હેય-ઉપાદય અર્થાતુ છોડવા યોગ્ય અને સેવવા યોગ્ય શું છે તેનો યથાર્થ વિચાર કરી, હેય-છોડવા યોગ્ય પદાર્થો, સંગ, પ્રસંગ પરત્વે ઉદાસીન થતો જાય છે અને ઉપાદેય અર્થાત્ આરાધવા યોગ્ય સંગ, પ્રસંગ, સાધન પ્રત્યે વળતો થાય છે. પરિણામે સત્યધર્મક્રિયામાં રસ-રુચિ વધારતો જાય છે, પુરુષાર્થ કરતો થાય છે, સ્વ-પરનો વિવેક થતો જાય છે. સ્વસ્વરૂપને જાણવા-સમજવાની યોગ્યતા મેળવતો જાય છે. પરમા-પરસંગમાં, પરપદાર્થોમાં સુખ નથી, પરંતુ સાચું સુખ તો સ્વમાં છે – સ્વનાં સંગમાં છે તેવી પ્રતીતિ થવા લાગે છે અને હવે તે દિશામાં સખત પરિશ્રમ લેતો થાય છે.
ની&િઇટને પ્રશાબીજ •76 base