________________
વિવેક થયો છે તેણે ત્વરાએ યથાર્થ-આત્મધર્મનું સેવન કરીને મોક્ષ પ્રાપ્ત થવાનો જે અવસર મળ્યો છે તેનો પુરેપુરો ઉપયોગ, પ્રમાદ ત્યજીને કરી લેવાનું અતિ આવશ્યક છે.
જે ધર્મ જીવાત્માને નિજ આત્મસ્વરૂપનું જ્ઞાન-ભાન કરાવે, ધર્મ આરાધનાની પ્રેરણા અને પોષણ આપે તે ધર્મને યથાર્થ ધર્મ કહી શકાય અને આવો ધર્મ જ મોક્ષનું કારણ બને છે. બાકી કહેવાતો ધર્મ તો બહુ તો જીવને શુભભાવમાં રાખીને સારી ગતિમાં લઈ જઈ શકે, પરંતુ પરિભ્રમણ તો ચાલતું જ રહે છે તો પછી તે ધર્મનો શો ઉપકાર ?
જ્યારથી આવી સમજ આવી ત્યારથી માનવજીવે વિવેકપૂર્વક જ્ઞાનીસત્શાસ્ત્રની આજ્ઞાએ પ્રવર્તવું એજ કર્તવ્ય છે. માનવજીવો સિવાય અન્ય કોઈ પણ ગતિમાં રહેલા જીવો ધર્મઆરાધના કરી શકતા નથી અને માનવભવ વારંવા૨, સહેજે મળતો નથી, તેમ વિચારી ત્વરાએ આત્મધર્મનું આરાધન કરવું જ રહ્યું. કુળધર્મ આત્માની અપેક્ષાએ-લક્ષે થતો હોય તો જ ઉપકારી છે – અન્યથા નથી, તેમ સમજાય છે.
*
8484 પ્રજ્ઞાબીજ * 75 paravano