________________
બોધપાઠ-૨૫
0 ધર્મ દુર્લભ ભાવના )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ધર્મની પ્રાપ્તિ જીવને દુર્લભ છે તેવો આ ભાવનાનો મર્મ છે. જગતમાં ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય જોવામાં આવે છે, જે ધર્મ કરતો ન હોય તો પછી ધર્મ પ્રાપ્તિ દુર્લભ કહેવાનું કારણ ? તે ચિંતનનો વિષય છે. માનવજીવો ધર્મનું સાચું સ્વરૂપ જાણતા નથી અને પરંપરાએ દેખાદેખીથી અનેકવિધ પ્રકારે ધર્મ પ્રવૃત્તિ કરે છે. પરંતુ આવી ધર્મ પ્રવૃત્તિનું ફળ શું છે તે વિચારવા ભાગ્યે જ કોઈ રોકાય છે અને જે રોકાય છે તે સંશોધન કરે છે, તે પૈકી કોઈ વિરલા જીવો જ યથાર્થ ધર્મને જાણે છે, આવા જીવો પૈકી કોઈ જ વિરલા જીવ યથાર્થ ધર્મ આરાધે છે. આવી જગતનાં માનવ જીવોની દશા સર્વકાળમાં જોવા મળે છે.
આ પ્રકારે યથાર્થ ધર્મનું અનુસરણ કેટલું બધું કઠીન છે તે સહેજે સમજાય છે. આવો ધર્મ પામવો દુર્લભ-અતિ દુર્લભ છે. જેમાં શંકા રહેતી નથી. આમ વિચારીને જેને વર્તમાનમાં યથાર્થ ધર્મ અને પરંપરાગત ધર્મનો
ની&િઇટને પ્રશાબીજ •74 base