________________
અજ્ઞાન છે, કેમ કે જે-તે દશા ક્ષણિક છે અને જીવ શાશ્વત છે, જેથી તે સુખરૂપ અવસ્થા વિરામ પામે છે ત્યારે દુઃખરૂપ અવસ્થાનો પ્રારંભ કર્મ અનુસાર થાય છે. સર્વથા સુખમય-શાશ્વત સુખરૂપ અવસ્થા માત્ર ને માત્ર મુક્તાત્માઓની-સિદ્ધાત્માઓની છે. આવું જ્ઞાન કેવળી ભગવંતો-તીર્થકરોને હોય છે. આવા તીર્થંકરો-કેવળી ભગવંતો, સિદ્ધપદ પ્રાપ્ત થયા પહેલા, જે કંઈ આયુષ્યનો યોગ છે, તે કાળમાં નિષ્કામ કરુણાભાવે જગતનાં જીવોને યથાર્થ જ્ઞાન બોધે છે. જે બોધ માનવજીવો પ્રાપ્ત કરે, ગ્રહણ કરે તો મહા કલ્યાણકારી મોક્ષ પદને પામે.
પરંતુ આવા બોધનું પ્રાપ્ત થવું, દુર્લભ છે, કેમ કે સર્વપ્રથમ જીવને મનુષ્ય દેહની પ્રાપ્તિ, માનવીય ગુણો, સદાચાર, મૈત્રી – આદિ ચાર ભાવનાયુક્ત જીવન દુર્લભ છે. તે પછી સત્સંગ, સદ્વિચાર, સત્પુરુષ વગેરેનો યોગ પણ દુર્લભ છે. આમ બોધ પ્રાપ્તિ દુર્લભ છે તેમ ચિંતવવું અને બોધ મળે તો અનુસરવું તેવો નિર્ણય કરવો જોઈએ.
ની&િઇટને પ્રશાબીજ •za base