________________
બોધપાઠ-૨૪
0 બોધ દુર્લભ ભાવના )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સર્વથા મુક્ત આત્માઓ સિવાયનાં બધાજ જીવો કર્મબદ્ધ છે, જેમાં ચારે ગતિ : (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ અને (૪) નારકીનાં જીવોનો સમાવેશ થાય છે. જીવાત્મા સર્વથા મુક્ત થતા સુધી ચારે ગતિમાં દેહધારણ કરે છે અને આયુ મર્યાદાનાં અંતે ત્યાગ પણ કરે છે. આવી જીવોની દશા અનાદિથી છે. આ અવસ્થાનું મુખ્ય કારણ જીવની અજ્ઞાન દશા છે. અજ્ઞાનવશ કર્મો બાંધે છે, ભોગવે પણ છે અને ફરી નવા બાંધે છે. આત્મા નિશ્ચયથી તો જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન રહિત ક્યારેય હોતો નથી. છતાં અજ્ઞાની કહેવાનો હેતુ એ છે કે વિપરિત-અહિતકારી જ્ઞાન દશામાં પ્રવર્તે છે. જો આ જીવ જ્ઞાન દશાએ વર્તે તો જ આ ચાર ગતિનાં ભ્રમણથી મુક્ત થતો-થતો ક્યારેક સર્વથા મુક્ત દશા પામીને લોકાગ્રે સ્થિત થાય જેને સિદ્ધદશા કહે છે.
ચારે ગતિમાં જીવો એકાંતે કેવળ દુઃખ જ ભોગવે છે. ક્યારેક અનુકુળ અવસ્થા પણ હોય છે ત્યારે તે દશા જીવને સુખરૂપ લાગે છે, પરંતુ તે જીવનું
ઇAિZA પ્રશાબીજ 72 bookઇ8િ