________________
બોધપાઠ-૨૩
0 લોક સ્વરૂપ ભાવના
~~~~~~~~~~~~~~~~~~~
જે પૃથ્વી વર્તમાનમાં આપણો નિવાસ છે, તેવી કેટ-કેટલીએ પૃથ્વી અને ક્ષેત્રો જેમાં સમાઈને રહ્યા છે તેને લોક કહેવામાં આવે છે, તદુપરાંત અલોક પણ છે જેનો પાર પામી શકાય તેમ નથી. આવા આ લોકનું સ્વરૂપ જૈનદર્શનનાં શાસ્ત્રોમાં કેટલેક અંશે વ્યક્ત થયું છે. ત ્-અનુસાર લોકનો આકાર, કેડ ઉપર બે હાથ ટેકવીને ઉભેલા પુરુષ જેવો આકાર આ લોકનો દર્શાવ્યો છે, જેમાં મુખ્યત્વે ત્રણ લોક : (૧) ઊર્ધ્વલોક, (૨) મધ્યલોક અને (૩) અધોલોક દર્શાવ્યા છે. ઊર્ધ્વલોકમાં અગ્રભાગે સિદ્ધલોક છે જેમાં સર્વથા મુક્તાત્માઓ (સિદ્ધ પ્રભુ)નો વાસ બતાવાયો છે. એથી થોડા નીચે ભિન્ન-ભિન્ન દેવલોક હોવાનું કહેવાયું છે. મધ્યલોકમાં તિર્યંચ (પશુ-પંખી-જીવજંતુ વગેરે) અને મનુષ્યોનો વાસ બતાવેલો છે. અધોલોકમાં નાકીનાં જીવોનો વાસ છે, તેમાં સાત ભૂમી દર્શાવે છે, જેને નરક કહે છે. પહેલેથી, બીજી વગેરે ક્રમથી વધુને વધુ દુઃખદ અવસ્થાઓ ભોગવતા જીવો નારકી નામે ઓળખાવ્યા છે. આટલું સંક્ષેપમાં સમજાવાયું છે. બાકી વિસ્તાર તો અનેકવિધ પ્રકારે વર્ણવ્યા છે.
484808 પ્રશાબીજ + 70 parano