________________
તપને સહાયક બની શકે છે. બધાં જ તપમાં સ્વધ્યાયને જ્ઞાનીઓ મહાતપ કહે છે. સ્વાધ્યાયથી જીવ બોધ પામે છે અને જ્ઞાન વિચાર કરીને સકામ નિર્જરા કરીને સહેજે કર્મબંધથી મુક્ત થઈ શકે છે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું શ્રવણ કે વાંચન, ઉપરાંત શ્રવણ-વાંચન સંબંધી વિચાર, ચિંતન, વિવેક કરતા રહેવું તે ખરું સ્વાધ્યાયનું સ્વરૂપ છે. સ્વાધ્યાય શરૂમાં સમૂહમાં થવો ઘટે છે પરંતુ થોડી ભૂમિકા તૈયાર થયે એકાંતમાં સ્વાધ્યાય કરવાનું આવશ્યક માનવું. સ્વાધ્યાયથી વિચારોની અને ચિત્તની શુદ્ધિ સહેજે થાય છે. સ્વાધ્યાયમાં જીવનો ઉપયોગ જે-તે શાસ્ત્ર વિચાર સાથે મેળવવો પડે છે, જેથી તે ઉપયોગ અન્યત્ર જોડાતો રોકાય જાય છે. પરિણામે માનવજીવો મોક્ષનાં લક્ષે અન્ય તપ, ત્યાગ, વૈરાગ્ય, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, વગેરેમાં સહેજે ઉલ્લાસપૂર્વક પુરુષાર્થ કરતો થાય છે, જે મોક્ષમાર્ગની સાધના છે. અકામ નિર્જરાની ચર્ચા જરૂરી નથી.
ઇAિZA પ્રશાબીજ 69 backઇ8િ