________________
બોધપાઠ-૨૨
0 નિર્જરા ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
નિર્જરા એટલે પૂર્વકર્મથી મુક્ત થવાનો ઉપાય. પૂર્વકર્મથી બે પ્રકારે મુક્ત થવાય છે. એક તો જે-તે કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગવવાથી જે-તે કર્મથી મુક્ત થવાય છે અને બીજી તે ઉદયમાં આવતા પૂર્વે જ જીવાત્મા સત્તાગત કર્મને તપથી ક્ષય કરીને જે-તે કર્મથી મુક્ત થાય છે. જો કે બધાંજ કર્મો તપથી નિર્જરી શકતા નથી, પરંતુ મોટાભાગનાં કર્મોની નિર્જરા થઈ શકે છે. થોડાં એવા કર્મ ભોગવે નિવૃત્ત થાય છે. જીવાત્મા (માનવજીવો) સંવરભાવમાં રહીને ઉદય કર્મને ભોગવે-વેદી લે તો નવા કર્મબંધ કર્યા વગર જ કર્મ નિર્જરા થાય છે. પરંતુ જો અજ્ઞાનવશ, આર્તધ્યાન કે રૌદ્ર ધ્યાન કરીને ભોગવે તો નવું કર્મ અવશ્ય બાંધે છે, જે પરિભ્રમણનું કારણ બને છે.
તપ વડે જે કર્મનિર્જરા થાય છે તે તપનાં મુખ્ય બાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે જેમાં છ બાહ્ય અને છ અંતરંગ તપ છે તેનું સ્વરૂપ શાસ્ત્રોથી જાણીને આરાધવું. મુખ્યતા આંતરિક-અંતરંગ તપની છે, બાહ્ય તપ અંતરંગ
ઇAિZA પ્રશાબીજ 68 bookઇ8િ