________________
છે, જેથી આવા સમયે સમતાભાવે, શાંતિથી દૃષ્ટા બનીને જોયા કરે, વેદ્યા કરે પણ વિકલ્પ ન કરે, આર્તધ્યાન ન કરે, કોઈને દોષ ન દે, પોતાનાં જ કર્મ આ અવસ્થાનું કારણ છે અને વેદ્યા વિના છૂટકો નથી, તેવું સમાધાન મન સાથે કરીને મનને સંપૂર્ણ રીતે વશ કરવાનો પુરુષાર્થ કરે છે, જેના પરિણામે નવા કર્મનાં બંધનોથી બચે છે અને પૂર્વકર્મોની નિર્જરા પણ કરે છે. આવી અવસ્થાને સંવરની અવસ્થા શાસ્ત્રકારો કહે છે.
લાંબા કાળનાં અભ્યાસથી માનવજીવો આવી સંવરની અવસ્થામાં રહી શકે છે. જે જીવો મુક્ત થયા છે તે આ પ્રકારે જ મુક્ત થયા છે. સંવર ભાવમાં રહેતો મનુષ્ય કષાયોથી સહેજે બચી જાય છે, મોક્ષ માર્ગમાં સહેજે પ્રવૃત્ત થાય છે. આ ભાવના મોક્ષનું બળવાન કારણ છે.
ની&િઇટને પ્રશાબીજ 67 base