________________
બોધપાઠ-૨૧
-
સંવર ભાવના
722~~~~~~~~~~~~~~~~
આપણે આશ્રવ ભાવનાનું સંક્ષીપ્ત સ્વરૂપ વિચાર્યું. કર્મબંધનું કારણ આશ્રવ છે, ને પરિભ્રમણનું કારણ છે અને તેનાં મૂળમાં જીવનું અજ્ઞાન છે – અબોધ દશા છે. આવો જીવાત્મા સત્સંગને સેવે તો બોધ પામીને આશ્રવથી બચવા માટે જે ઉપાય-યથાર્થ ઉપાય કરે છે તેને જૈનદાર્શનિકો સંવર કહે છે. સંવરભાવમાં જીવે જ્ઞાતા-દૃષ્ટા કે સાક્ષીભાવમાં રહેવાનો અભ્યાસ કરતા રહેવું પડે છે. પૂર્વકર્મ ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં નિમિત્તરૂપ ૫૨૫દાર્થોનો યોગ જીવાત્માને સહેજે થઈ આવે છે. આવા સમયે જો જીવાત્મા જ્ઞાન-ઉપયોગે પ્રવર્તે તો સહેજે સાક્ષીભાવમાં રહીને નવા કર્મનાં બંધથી બચી શકે છે અને અજ્ઞાન વશ વર્તે તો પરિભ્રમણ વધારતો રહે છે.
જે જીવાત્મા બોધ પામ્યો છે, તે ઉદય કર્મના યોગે, સાવધાન થઈને કર્મની સ્થિતિને સમતાભાવે વેદીને તેનાંથી નિવૃત્ત થાય છે. તે જાણે છે કે કોઈ પણ કર્મની સ્થિતિ કાયમી નથી, થોડા કાળમાં તે સ્થિતિ ક્ષય થવાની જ
#EKG પ્રશાબીજ * 66 paravano