________________
બોધપાઠ-૧૯
0 અશુચિ ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રત્યેક જીવાત્માનો વાસ કોઈ પ્રકારનાં દેહમાં-શરીરમાં હોય છે. આ સ્થિતિ અનાદિથી છે. પરંતુ જીવ અને દેહ બે ભિન્ન પદાર્થ છે. જીવની ઓળખ જે ગુણોથી છે, તે ગુણો દેહમાં નથી અને દેહની ઓળખ જે ગુણોથી છે, તે જીવમાં નથી. જીવ ચેતન છે, દેહ જડ છે. દેહ છોડીને જીવ ચાલ્યો જાય છે ત્યારે દેહ સાથે જઈ શકતો નથી, એટલું જ નહીં પરંતુ દેહ તદ્દન બિનઉપયોગી થઈ પડે છે, ઉપરાંત આપોઆપ તે દેહ સડવા, ગળવા લાગે છે. જેથી તેનો કોઈ પ્રકારે નાશ કરવો પડે છે. જીવ અને દેહનો સંબંધ ૧૦૦ વર્ષનો કે તેથી પણ વધારે-ઓછો હોય તો પણ તે બન્ને પદાર્થ ક્યારેય એકબીજાનાં ગુણ ગ્રહણ કરી શકતા નથી. આવી અવસ્થા અનાદિની છે, આપણને તેનું જ્ઞાન પણ છે, છતાં પ્રત્યેક જીવને જે દેહનો સંયોગ છે તેમાં પ્રિતી રહે છે, જેથી તેની સાર-સંભાળ લેવામાં આવે છે. તે દેહમાં મોહ રહે છે, દેહની હાનિ ન થાય તે માટે સજાગ રહીને કાળજી લેવામાં આવે છે.
ની&િઇટને પ્રશાબીજ 62 base