SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ માનવજીવ સ્વજનો, પરિજનોનાં સંગમાં રહે છે તેનું કારણ પૂર્વ કર્મ છે. અને તેનો સર્વથા અંત ન આવે ત્યાં સુધી એ સ્થિતિથી છુટી શકાતું નથી. પરંતુ જીવાત્મા જે-તે વ્યક્તિ પ્રત્યે મમત્વ ભાવ ન રાખે અને સાક્ષીભાવમાં રહીને કર્મોદયને વેદી લે તો નવા કર્મબંધથી બચી જવાય છે અને પૂર્વકર્મ તેની સ્થિતિએ નિવર્તવાનું છે. આ પ્રકારે જીવાત્માંનો મોક્ષ માર્ગ ટૂંકો થતો જાય છે. કર્મબંધનાં મુખ્ય કારણો જીવનો મમત્વભાવ અને અહંભાવ છે, હું અને મારું આ માન્યતા, મમત્વ અને અહંભાવનું સ્વરૂપ છે. માનવજીવ વિવેક યુક્ત દશામાં છે, તે સ્વ-પરનો વિવેક કરીને અન્યને અન્ય માની તે પ્રત્યે મોહ ઘટાડતો થાય અને નિજ-સ્વસ્વરૂપમાં સ્થિતિ થવાની રૂચિ વધારતો જાય તે અન્યત્વ ભાવનાનું સ્વરૂપ સમજાય છે. ની&િઇટને પ્રશાબીજ 61 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy